Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર પર યુવકોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની વિગતે વાત કરીએ તો, જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા દિવસથી અજાણ્યા યુવકોના આટાફેરા વધી ગયા હતા. રાત્રિના સમયે કેટલાક યુવકો કાર લઈને આટા મારતા હોય છે. સિવિલ હોસ્પિટલમાં રાત્રિના સમયે છોકરીઓને કારમાં બેસાડીને આ યુવકો ફરતાં હોય છે. આ વાતની જાણ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરને થતાં તેઓએ આ યુવકોને આ બાબતે ટકોર કરી હતી. જે વાતનો ખાર રાખીને યુવકોએ મેડિકલ ઓફિસર પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરના ક્વાર્ટરમાં ત્રણ શખ્સોએ ધસી જઈને, ધાક ધમકી આપી હોવાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો પ્રમાણે જૂનાગઢની સિવિલ હોસ્પિટલના ક્વાર્ટસ નજીક કાળા કલરની એક સ્વીફ્ટ કારમાં છોકરીઓને બેસાડીને અમુક ઇસમો રાત્રિના સમયે ઘણા સમયથી આટાફેરા મારી રહ્યા હતા. આ અંગે સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો.પાર્થસિંહ અભયસિંહ રાઠોડને કંઇક અજુગતુ લાગતા છોકરીઓને કારમાં બેસાડી આટાફેરા મારતા યુવકોને ટપાર્યા હતા. ત્યારબાદ યુવકો સિવિલ હોસ્પિટલમાંથી ચાલ્યા ગયા હતા.
બાદમાં ગત રાત્રિના ત્રણ શખ્સો ડો.પાર્થસિંહ રાઠોડના સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલા બી-ટુ ક્વાર્ટસમાં ઘુસી ગયા હતા અને તું કેમ પૂછપરછ કરતો હતો ? તારા કારણે અમારી કારમાં નુકસાન થયું છે, અને તેના રૂપિયા તારે આપવા પડશે તેમ કહી અપશબ્દો કહ્યા હતા. યુવકોએ મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ મેડિકલ ઓફિસરે આરોપ લગાવ્યો છે.
આમ આ સમગ્ર મામલે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો.પાર્થસિંહ રાઠોડે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મેડિકલ ઓફિસરની ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત