Homeગામનાં ચોરેબાંગ્લાદેશમાં હિંસા વચ્ચે વડાપ્રધાન શેખ હસીના રાજીનામું આપી ભારત ભાગ્યા, સેનાએ સંભાળ્યો...

બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે વડાપ્રધાન શેખ હસીના રાજીનામું આપી ભારત ભાગ્યા, સેનાએ સંભાળ્યો મોરચો

Team Chabuk-International Desk: બાંગ્લાદેશમાં અનામતને લઈને થઈ રહેલી હિંસા વચ્ચે વડાપ્રધાન શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું ધરી દીધું છે અને તેઓ બાંગ્લાદેશ છોડીને ભારત આવવા રવાના થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. હિંસા દરમિયાન પ્રદર્શનકારીઓ વડાપ્રધાનના આવાસમાં ઘુસી ગયા હતા.

ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ શેખ હસીનાએ બાંગ્લાદેશના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે અને તેઓ સેનાના વિશેષ હેલિકોપ્ટરમાં સવાર થઈને ભારત આવવા રવાના થઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે શેખ હસીનાની બહેન પણ તેમની સાથે છે. શેખ હસીનાના પુત્રએ દેશના સુરક્ષા દળોને બળવોના સંભવિત પ્રયાસોને સફળ ન થવા દેવા વિનંતી કરી છે. આ દરમિયાન રાજધાની ઢાકા સહિત દેશભરમાં સેના તૈનાત કરવામાં આવી છે. કર્ફ્યૂ અમલમાં છે.

sheikh hasina

બાંગ્લાદેશમાં સતત બગડતી પરિસ્થિતિ વચ્ચે આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાન કહ્યું છે કે, અમે વચગાળાની સરકાર બનાવીશું. સાથે જ તેમણે દેશવાસીઓને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે. અગાઉ, હજારો વિરોધીઓ દેશવ્યાપી કર્ફ્યૂને બાયપાસ કરીને, લાંબી કૂચ માટે ઢાકાના શાહબાગ ચોક પર એકઠા થયા હતા. તે જ સમયે, એક દિવસ પહેલા રવિવારે થયેલી હિંસામાં 100 થી વધુ લોકોના મોત થયા હતા. જેમાં 19 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે.

બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસા બાદ ભારત સરકારે બાંગ્લાદેશમાં પ્રવાસ કરનાર લોકોને લઈને એક માર્ગદર્શિકા જાહેર કરી છે. બાંગ્લાદેશમાં હાજર તમામ ભારતીય નાગરિકોને સાવધાન રહેવા જણાવાયું છે. ભારત સરકારે આ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments