Homeગુર્જર નગરીભરૂચનો મેઘરાજાએ અનરાધાર વરસાદથી ભૂક્કો બોલાવ્યો, 14 કલાકમાં જ સિઝનનો 12 ટકા...

ભરૂચનો મેઘરાજાએ અનરાધાર વરસાદથી ભૂક્કો બોલાવ્યો, 14 કલાકમાં જ સિઝનનો 12 ટકા વરસાદ

Team Chabuk-Gujarat Desk: ગઈકાલ મોડી રાતથી મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને ધમરોળવાના કાર્યનો આરંભ કર્યો છે. હવામાન વિભાગ દ્વારા મધ્યરાત્રે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. એ પછી સૌરાષ્ટ્રના ભાવનગર, રાજકોટ, ગોંડલ સહિતના શહેરોમાં કડાકા ભડાકા અને વીજળી સાથે વરસાદ પડ્યો હતો. પરંતુ આજે કફોડી હાલત ભરૂચની થઈ ગઈ છે.

rps-baby-world-1

અહીં ઘરોમાં પાણી ઘુસ્યા છે. નીચાણવાળા વિસ્તારો પાણીથી તરબતર થઈ ગયા છે. વાહન ચાલકોની ગાડીઓ કેટલાક વિસ્તારોમાંથી પસાર નથી થઈ રહી. શહેરના મહત્વના વિસ્તારો જળમગ્ન થઈ ચૂક્યા છે. ભરૂચની કેટલીક જગ્યાઓ તો ટાપુ જેવી ભેંકાર ભાસી રહી છે. જનજીવન અસ્તવ્યસ્ત પણ છે અને ઠપ્પ પણ થઈ ગયું છે.

rps-baby-world-1

લો પ્રેશર અને ગુલાબ વાવાઝોડું ગુજરાતમાં ભારે વરસાદ માટેનું કારણ માનવામાં આવે છે. અહીં 14 કલાકમાં જ સિઝનનો 12 ટકા વરસાદ પડી ગયો છે. એક બાજુ નોકરિયાત વર્ગને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તો શાળામાંથી વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે. ભરૂચમાં આખી રાત હવામાન વિભાગની આગાહી અનુસાર મેઘરાજાએ તોફાની બેટીંગ કરી છે. અહીં સવારમાં છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં જ બે કલાકમાં 85 મિ.મી જ્યારે 8થી 2 વાગ્યા સુધીમાં 17 મિ.મી વરસાદ પડ્યો છે.

ગુલાબ ગયું અને શાહીન આવ્યું

રાજ્યમાં અતિવૃષ્ટી જેવો માહોલ ચાલી રહ્યો છે. ગઈકાલ મોડી રાત્રે વરસાદની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી બાદ ચોમાસુ અનરાધાર વરસી રહ્યું છે. ગુલાબ વાવાઝોડાની સાથે લો પ્રેશર પણ કારણભૂત છે. જોકે હવે એક નવા સમાચાર આવ્યા છે. ગુજરાત રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

rps-baby-world-1

ભારે વરસાદને લઈ 6 જિલ્લાઓમાં ઓરેન્જ જ્યારે 20 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુલાબ વાવાઝોડું ઓરિસ્સાના કાંઢે અથડાયા બાદ નબળું પડ્યું અને અરબ સાગર તરફ ફંટાયું. જેથી તેની ચિંતાનું ચિત્ર તો ભૂંસાયું પણ આ વર્ષ વાવાઝોડાનું વર્ષ હોય એવું લાગે છે. આ વર્ષે તાઉતે, ગુલાબ બાદ હવે ગુજરાત પર શાહીન વાવાઝોડાનો ખતરો મંડરાય રહ્યો છે.

rps-baby-world-1

શાહીનના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અરબ સાગરમાં શાહીન વાવાઝોડાની તોફાની સવારી આવી રહી હોવાથી ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. વહીવટી તંત્ર દ્વારા દરિયા કાંઠાના લોકોને પણ સતર્ક કરી દેવામાં આવ્યા છે અને માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપી દેવામાં આવી છે.

rps-baby-world-1

હવામાન વિભાગ દ્વારા શાહીન વાવાઝોડા અંગે માહિતી આપવામાં આવી છે. તેમણે કહ્યું છે કે, ગુલાબ વાવાઝોડું ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના કાંઠે ટકરાયા બાદ તેની પોસ્ટ ઈફેક્ટના કારણે અરબ સાગરમાં શાહીનનું સર્જન થયું છે. આવતીકાલે એટલે કે 30 સપ્ટેમ્બરના રોજ ડિપ ડિપ્રેશનનો ઉદ્દભવ થશે અને ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં એ ટકરાય શકે છે. આ અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહન્તિના જણાવ્યા પ્રમાણે, ગુજરાત પર શાહીન વાવાઝોડાની આફત મંડરાય રહી છે. હાલ ડિપ ડિપ્રેશન છે, જે છ કલાકની અંદર અંદર લો પ્રેશર બની જશે. શાહીનના કારણે જ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. ત્રણ દિવસ સુધી આ વરસાદી માહોલ કાયમ રહેશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments