Homeગુર્જર નગરીઆરોપીને લઈને આવી રહેલા ભાવનગરના ચાર પોલીસ કર્મીઓ અકસ્માત થતાં શહીદ

આરોપીને લઈને આવી રહેલા ભાવનગરના ચાર પોલીસ કર્મીઓ અકસ્માત થતાં શહીદ

Team Chabuk-Gujarat Desk: ભાવનગરના ચાર પોલીસ જવાનના રાજસ્થાનના જયપુર જિલ્લાના શાહપુરામાં ભાબરું નજીક મોડી રાત્રે અકસ્માતમાં શહીદ થયા છે. રાત્રે 2 વાગ્યાની આસપાસ પોલીસ કર્મીઓની કાર ઝાડ સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ભાવનગર પોલીસના ચાર જવાનો શહીદ થયા છે. સાથે એક આરોપીનું મોત નિપજ્યું છે. ભાવનગર પોલીસના ચાર કર્મીઓ હરિયાણાથી આરોપીને લઈને ગુજરાત પરત ફરી રહ્યા હતા તે દરમિયાન જયપુર-દિલ્હી હાઈવે પર ભાબરુ નજીક મોડી રાત્રે કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં ચાર પોલીસ જવાન શહીદ થયા છે અને એક આરોપીનું મોત નિપજ્યું છે.

શહીદ થનાર પોલીસ જવાન ઈરફાનભાઈ આગવાન અને શક્તિસિંહ ગોહિલ

આ દુઃખદ ઘટનાની જાણ થતાં જ રાજ્યના પોલીસ વર્તૂળોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મળતી વિગતો પ્રમાણે ભાવનગર પોલીસના ચાર કર્મચારી શક્તિસિંહ ગોહિલ, ભીખુભાઈ બુકેરા, ઇરફાનભાઈ આગવાન અને મનુભાઈ આરોપીને પકડવા માટે હરિયાણા ગયા હતા. હરિયાણાથી આરોપીને પકડીને પોલીસકર્મીઓ કાર મારફતે ભાવનગર પરત ફરી રહ્યા હતા. પોલીસકર્મી જયપુર-દિલ્હી નેશનલ હાઈવે પર પહોંચ્યા ત્યારે કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતાં કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ચાર પોલીસ કર્મીઓ શહીદ થયા છે.

શહીદ થનાર જવાન ભીખુભાઈ બુકેરા અને મનસુખભાઈ બાલધિયા

બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં સ્થાનિક પોલીસને મૃતકો ગુજરાતના ભાવનગરના અને પોલીસ વિભાગના કર્મચારી હોવાનું માલૂમ થતાં ભાવનગર પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી.

જયપુર પાસે અકસ્માતમાં ભાવનગરના પોલીસકર્મીઓનાં મૃત્યુ અંગે ગુજરાત અને રાજસ્થાનના મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું છે.

ચાર પોલીસ જવાનનાં મોત

1. શક્તિસિંહ યુવરાજસિંહ ગોહિલ ભીકડા

2. ભીખુભાઈ અબ્દુલભાઈ બુકેરા

3. ઇરફાનભાઇ આગવાન

4. મનસુખભાઈ બાલધિયા

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments