Homeગુર્જર નગરીરાજ્યમાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી, પાંચ મિનિટ મોડું થયું હોત તો હજારો...

રાજ્યમાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી, પાંચ મિનિટ મોડું થયું હોત તો હજારો જીવ જોખમમાં મૂકાત

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે. ભાવનગર-ઓખા ટ્રેન સાથે મોટી દુર્ઘટના ઘટતાં ઘટતાં રહી ગઈ છે. મળતી વિગતો પ્રમાણે સણોસરા-ધોળા ટર્નિંગ પોઈન્ટ પર ઈલેક્ટ્રીકનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન જીવતો વાયર રેલવે ટ્રેક પર પડ્યો હતો. જો કે આ વાયર રેલવે ટ્રેક પર પડતાં જ રેલવે તંત્ર એલર્ટ થઈ ગયું હતું. અને સુરેન્દ્રનગર થી ભાવનગર આવતી ટ્રેનને ધોળા અને ભાવનગર થી ઓખા જતી ટ્રેનને સણોસરા પાસે જ રોકી દેવાઈ હતી. જો ટ્રેનને રોકવામાં પાંચ મિનિટ પણ મોડું થયું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.

રેલવે ટ્રેક પર ધોળા-પીપવાવની OHE ઇલેક્ટ્રિક ટ્રેનની લાઈનનો જીવતો વાયર તૂટીને ટ્રેક પર પડ્યો હતો. વા વાતની જાણ રેલવે કર્મીઓને થતાં સણોસરા રેલવે સ્ટેશને જાણ કરવામાં આવી હતી અને ટ્રેનને સણોસરા જ રોકી દેવામાં આવતા સમય સુચકતાથી મોટી દુર્ઘટના ટળી છે.

ભાવનગરથી ઓખા જવા માટે શનિવારે રાતે 10:15 કલાકે ભાવનગર ટર્મિનસથી ટ્રેન ઉપડી રાત્રે 11:15ની આસપાસ આ ટ્રેન ધોળા પહોચે છે. પરંતુ ટ્રેનના ટ્રેક પર જીવતો વીજ વાયર પડ્યો હોવાની રેલવે કર્મચારીઓને જાણ થતાં ટ્રેન ધોળા પહોંચે તે પહેલા જ સમય સુચકતા વાપરીને ટ્રેનને સણોસરા નજીક રોકી દેવામાં આવી હતી. જેના કારણે ટ્રેનમાં સવાર હજાર જેટલા મુસાફરો હેરાન થયા હતા પરંતુ કોઈ જાનહાની ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

રેલ્વે સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રેલવે ટ્રેક પર રિપેરિંગ કામ ઝડપથી હાથ ધરાતા રાત્રિના 12 વાગ્યા આસપાસ હાલ પૂરતો ટ્રેન વ્યવહાર શરૂ કરી દેવાયો હતો. અને વધુ રિપેરિંગની કામગીરી બીજા દિવસ સુધી અટકાવી દેવાઈ હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments