Team Chabuk-Gujarat Desk: તારીખ 20 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ સાયકલ ક્લબ અને જૂનાગઢના તબીબો દ્વારા એક સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢથી ખોડલધામ મંદિર સુધીની આ 50 કિલોમીટરની સાયકલ યાત્રામાં મોટી સંખ્યામાં જૂનાગઢ સાયકલ ક્લબના સભ્યો અને જૂનાગઢના વિવિધ તબીબો જોડાયા હતા અને ખોડલધામ મંદિરે પહોંચીને મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવ્યા હતા.

મહત્વનું છે કે, વિશ્વ પ્રસિદ્ધ ખોડલધામ મંદિરે દરરોજ બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી રહ્યા છે. ઘણા યાત્રિકો પગપાળા, તો કોઈ સાયકલ યાત્રા થકી તો કોઈ બાઈક કે કાર યાત્રા થકી મા ખોડલના દર્શને આવતા હોય છે. ત્યારે જૂનાગઢ સાયકલ ક્લબ અને જૂનાગઢના તબીબો દ્વારા આ સાયકલ યાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું. આ સાયકલ યાત્રા 20 ફેબ્રુઆરીના રોજ સવારે 5 વાગ્યે જૂનાગઢ શહેરના રેલવે સ્ટેશનથી પ્રસ્થાન થઈ હતી. જૂનાગઢથી સાયકલ યાત્રા જેતપુર પહોંચી હતી. જેતપુર થી દેરડી થઈને આ સાયકલ યાત્રા ખોડલધામ મંદિરે પહોંચી હતી. ખોડલધામ મંદિરે પહોંચીને તમામ સાયકલ યાત્રિકોએ મા ખોડલના દર્શનનો લ્હાવો લઈને આશીર્વાદ મેળવ્યા હતા. સાથે જ સાયકલ યાત્રિકોએ મંદિર પરિસરમાં રાસ-ગરબા રમીને માતાજીની આરાધના કરી હતી.
જૂનાગઢથી ખોડલધામ મંદિર સુધીની સાયકલ યાત્રા યોજાઈ, સાયકલ યાત્રિકો મંદિરે ગરબે રમ્યા pic.twitter.com/Wyf8nnBIOQ
— thechabuk (@thechabuk) February 20, 2022
જૂનાગઢથી ખોડલધામ મંદિર સુધીની આ સાયકલ યાત્રામાં જૂનાગઢ સાયકલ ક્લબ અને જૂનાગઢના વિવિધ તબીબો મળીને આશરે 150 જેટલા ભાઈઓ-બહેનો જોડાયા હતા. આ સાયકલ યાત્રામાં સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે આ સાયકલ યાત્રા યોજવામાં આવી હતી.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
