Homeગુર્જર નગરીડુંગળી પકવતાં ખેડૂતો માટે રાજ્ય સરકારે કરી મહત્વની જાહેરાત, આટલી મળશે સહાય

ડુંગળી પકવતાં ખેડૂતો માટે રાજ્ય સરકારે કરી મહત્વની જાહેરાત, આટલી મળશે સહાય

Team Chabuk-Gujarat Desk: ડુંગળી પકવતાં ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હાલ ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને ડુંગળી પકવતાં ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે. ડુંગળી પકવતાં ખેડૂતો હાલ નુકસાની ભોગવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી છે. રાઘવજી પટેલે જાહેરાત કરી કે ડુંગળી પકવતાં ખેડૂતો માટે 1 એપ્રિલે અથવા તે પહેલાં જેણે ડુંગળી વેચી હશે તેઓને પ્રતિ કિલો 2 રૂપિયાની સહાય સરકાર દ્વારા ચુકવવામાં આવશે.

એટલે કે ડુંગળીના ભાવમાં પ્રતિકિલોએ 2 રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે. આ સાથે જ ડુંગળી પકવતા ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા કુલ 130 કરોડ રૂપિયાની સહાય આપવાનો નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આવેલા એ.પી.એમ.સીમાં ડુંગળી વેચનારા ખેડૂતોને પ્રતિ કિલોએ રૂ.2ની આર્થિક સહાય આપવાનો નિર્ણય કરાયો છે. કૃષિ મંત્રી રાધવજી પટેલે જણાવ્યું છે કે, આ માટે કુલ રૂ.100 કરોડની માતબર રકમ ફાળવાઈ છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આવેલા એ.પી.એમ.સીમાં ડુંગળી વેચનારા ખેડૂતોને ખેડૂત દીઠ મહત્તમ 25,000 કિલોના વેચાણ સુધી મહત્તમ રૂ.50,000ની સહાય ચૂકવશે.

joi e che

મહત્વનું છે કે, ડૂંગળીના ભાવ હાલ તળિયે બેસી જતાં વાવેતર કરનાર ખેડુતોને હાલ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. તાજેતરમાં ડુંગળીના બજાર ભાવ તળીયે જતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે. ડુંગળીની ઉપજ કરવામાં જેટલો ખર્ચ થયો તેની અડધી કિંમત પણ ન મળી રહી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ડુંગળીમાં થયેલા ખર્ચની અડધી રકમ મળે છે. બિયારણ ખાતર પાણી, મજુરી અને યાર્ડ સુધીનો ખર્ચ પણ માથે પાડ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments