Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં થયેલી બ્રિજ દુર્ઘટનામાં મોટો ખુલાસો થયો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ક્ષતિગ્રસ્ત બ્રિજનું તાત્કાલિક સમારકામ કરવા વસ્તડી ગામના સરપંચે પ્રશાસનને લેખિત તેમજ મૌખિક જાણ કરી હતી. જોકે પ્રશાસનને કોઈ ગંભીરતા ન લીધી. પરિણામાં બ્રિજ ધરાશાયી થઈ ગયો અને લોકોના જીવ જોખમમાં મુકાયા.
મહત્વનું છે કે, વસ્તડી અને ચુડાને જોડતા ભોગાવો નદી પરનો બ્રિજ તૂટી પડ્યો હતો. 35થી 40 વર્ષ પૂર્વે બનાવાયેલો આ બ્રિજ છેલ્લા થોડા સમયથી જર્જરિત બન્યો હતો. રવિવારે પુલ પરથી એક માટી ભરેલુ ડમ્પર અને બે બાઈક સવારો પસાર થઈ રહ્યા હતા ત્યારે ઓચિંતા જ બ્રિજ કાગળના પત્તાની જેમ ધડાકાભેર ધરાશાયી થઈ ગયો હતો.
બીજી તરફ છેલ્લા કેટલાય સમયથી જર્જરિત બ્રિજ અંગે વારંવારની રજૂઆત છતા જિલ્લા તંત્રએ બ્રિજ પરથી અવર-જવર બંધ કરવાના બદલે માત્ર ચેતવણી આપતું બોર્ડ લગાવી સંતોષ માન્યો હતો.

દુર્ઘટનાના પગલે ડમ્પર તેમજ બે બાઇક પણ નીચે પટકાયા હતા. જેમાં ડમ્પર ચાલક સહિત કુલ ચારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિક લોકો દ્વારા તંત્રને જાણ કરતા ડમ્પરમાં સવાર 4 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગરઃ વસ્તડી-ચુડા બ્રિજ દુર્ઘટના#surendranagar #Gujarat pic.twitter.com/4tQFd5whhP
— thechabuk (@thechabuk) September 25, 2023
આ ઉપરાંત એ પણ સામે આવ્યું છે કે, 20 દિવસ પહેલા પણ વસ્તડી પુલનો કેટલોક ભાગ તૂટ્યો હતો. રીપેરીંગ દરમિયાન પુલની પાળી તૂટી હતી. તે સમયે પુલની પાળી તૂટતાં 3 શ્રમિકો નદીમાં પટકાયા હતા. અને 3 શ્રમિકોને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી. જોકે દુર્ઘટના બાદ પણ સુરેન્દ્રનગરનું પ્રશાસન ઊંઘતું રહ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
