Team Chabuk-Gujarat Desk: ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા શિક્ષકોને લઈ આપવામાં આવેલા નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. હવે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે સી.આર.પાટીલને નિવેદન ખેંચવા માટે માગ કરી છે. તેમણે ભાજપ અધ્યક્ષના આ શબ્દોને વખોડી કાઢ્યા હતા.
આ અંગે જિલ્લા પ્રાથમિક સંઘનું કહેવું છે કે, આ પ્રકારના નિવેદનથી શિક્ષકોની લાગણીને ઠેંસ પહોંચી છે. જ્યારે પણ આપત્તિ આવી હોય ત્યારે શિક્ષકો અગ્ર ક્રમે રહ્યા છે. કોરોનાકાળમાં બ્લ્ડ ડોનેશનથી લઈને અનાજ વિતરણ સેલ્ટર હોમ સહિતની સેવાઓ શિક્ષકો દ્વારા જ આપવામાં આવી હતી. આમ છતાં આ પ્રકારનું નિવેદન કરવું એ યોગ્ય નથી. તેમણે આ માટે નિવેદન પરત ખેંચાઈ તેવી માગ કરી છે.
ઉલ્લેખનીય છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા શિક્ષકોને લઈ નિવેદન આપવામાં આવ્યું હતું કે – ગુરુ તરીકેની ગરિમા શિક્ષકો ગુમાવી રહ્યા છે અને મોંઘવારી, રજા અને પગાર જેવા લાભો વિશે વિચારી રહ્યા છે. કર્મચારી બની રહેલા પ્રાથમિક શિક્ષકોને ગુરુ હોવાનું ભાન કરાવવા પ્રશિક્ષણ આપવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત