Team Chabuk-Gujarat Desk: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ વિરોધની આગ વધુ ને વધુ પ્રસરી રહી છે. રાજકોટ ઉપરાંત ગુજરાતમાં ઠેર ઠેર રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. રૂપાલાનો વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજના લોકોની માંગ છે કે, રાજકોટ બેઠક પરથી ભાજપ રૂપાલાને હટાવે. ત્યારે હવે જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ભાજપને આખા ગુજરાતમાં માઠા પરિણામ ભોગવવા પડી શકે તેમ ચિત્ર ઉપસી રહ્યું છે. કેમ કે, સુરેન્દ્રનગર જિલ્લાના 5 ગામના લોકોએ કહ્યું છે કે, જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ગામમાં ભાજપના નેતાઓને પ્રવેશવા દેવામાં આવશે નહીં.
પરશોત્તમ રૂપાલને હટાવવાની માગનો વિરોધ ગામે ગામ શરૂ થઈ ગયો છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક ગામોમાં રાજપૂત સમાજે બેનર લગાવીને વિરોધ નોંધાવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના 5 ગામમાં ભાજપને પ્રચાર માટે પ્રવેશબંધી કરાઈ હોવાના પોસ્ટર લગાવાયા છે. જેના પગલે રાજકીય ગરમાવો ફેલાયો છે. આ સાથે રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી આ પ્રવેશબંધી રહેશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ઢાંકી, કેસરિયા, પેઢડા, મોઢવાણા અને તલસાણા સહિતના ગામોમાં પોસ્ટર લગાવાયા છે. જેમાં લખાયું છે કે, ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ માટે પ્રવેશબંધી કરવામાં આવી છે. જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી આ પાંચ ગામોમાં ભાજપના નેતાઓ માટે પ્રવેશ બંધી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ ગામોમાં ભાજપ નેતાઓના પ્રવેશબંધીના પોસ્ટરો લાગતા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત