Team Chabuk-Gujarat Desk: સાળંગપુરમાં હનુમાનજીની વિશાળ 54 ફૂટ ઉંચી પ્રતિમાની નીચે લગાવેલા ભીંત ચિત્રોનો વિવાદ દિવસે દિવસે વકરી રહ્યો છે. સનાતન ધર્મના સાધુ-સંતોમાં આ મામલે ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે બોટાદમાં આવેલા રોકડિયા હનુમાનજી મંદિરના મહંત અને અખિલ ભારતીય શ્રી પંચ રામાનંદ અખાડાના મહંત પરમેશ્વર મહારાજે વિવાદિત ભીંત ચિત્રો હટાવી લેવા મામલે 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. મહંત પરમેશ્વર મહારાજે હાથમાં હથિયાર રાખીને ભીંત ચિત્રો હટાવી લેવા ચેતવણી આપી છે.
મહંત પરમેશ્વર મહારાજે જણાવ્યું કે, હનુમાનજી સ્વામિનારાયણના દાસ નથી. હનુમાનજી ભગવાન રામના દાસ છે. સ્વામિનારાયણ મતલબ કોણ? સ્વામિનારાયણનો કોઈ સંપ્રદાય નથી. સ્વામિનારાયણનો કોઈ અખાડો નથી, સિદ્ધાંત નથી, પંથ નથી. આ ફરજી બાબાનું ગ્રુપ છે. આ લોકો બ્લેકના રૂપિયા વ્હાઈટ કરે છે. તેમના ભગવાન રામ કે શિવ નથી તો આ લોકો હનુમાનજીના ચરણોમાં કેમ પડ્યા છે ? હનુમાનજીના વિવાદાસ્પદ ચિત્રો કેમ લગાવ્યા છે ? અમને લાગતું હતું કે આ લોકો સુધરી જશે, તે સનાતની છે. પરંતુ આ લોકો સનાતની નથી, સનાતમ ધર્મના વિરોધી છે. હનુમાનજીનું અપમાન કરનારાઓ પર અમે કેસ કરીશું.

આ સાથે જ પરમેશ્વર મહારાજે ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, 24 કલાકમાં સાળંગપુરમાંથી વિવાદિત ભીંત ચિત્રો હટાવવામાં નહીં આવે તો અમે હથિયાર ઉપાડવા માટે તૈયાર છીએ. હું બંને ભૂજા ઉઠાવીને પ્રણ કરું છું કે આ લોકો નહીં સુધરે તો સનાતન ધર્મના રક્ષણ માટે હું તેમનો વધ કરી નાખીશ.
તાજેતાજો ઘાણવો
- નવી જંત્રીના અમલને લઈને મોટા સમાચાર, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય
- શું લાગે છે RCB આ વખતે IPLનું ટાઈટલ જીતશે કે ? Grokએ આપ્યો રસપ્રદ જવાબ
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો