Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના હરીપર બ્રિજ નજીક હાઈવે પર ઈકો કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ. મોડી રાત્રે સર્જાયેલા આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત સમયે કારમાં સાત લોકો સવાર હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે.
મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રાનો પરિવાર અમદાવાદ લગ્ન પ્રસંગમાં આવ્યો હતો. લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પરત ધ્રાંગધ્રા જઇ રહ્યો હતો, ત્યારે મોડી રાત્રે ધાંગધ્રા તાલુકાના હરીપર બ્રિજ પાસે હાઈવે પર ઈકો કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. અકસ્માત સમયે કારમાં સાત લોકો સવાર હતા, જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
મૃતકોના નામ
પ્રફુલાબેન ગિરીશભાઈ મારુ (ઉ.વ 56)
વિશાલભાઇ કમલેશભાઈ મારુ (ઉ.વ. 24)
કિશોરભાઈ મોહનભાઈ ડાભી (ઉ.વ. 65)
ઈજાગ્રસ્તોના નામ
ચેતનાબેન કમલેશભાઈ મારુ (ઉ.વ. 40)
ભાવિનભાઈ ગીરીશભાઈ મારુ (ઉ.વ. 28)
કૌશલભાઈ ભાવિનભાઈ મારુ (ઉ.વ. 9)
કમલેશભાઈ ખીમજીભાઇ મારુ (ઉ.વ. 55)

તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત