Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના દુદાપુર ગામે આવેલ 500 ફૂટના બોરમાં વાડીના મજૂરી કામ કરતા મજૂરનું અઢી વર્ષનું બાળક રમતા રમતા પડી ગયું હતું. ત્યારે રાહતના સમાચાર મળ્યા છે કે આ બાળકને હેમખેમ બોરમાંથી બહાર કાઢી લેવામાં આવ્યું છે. બાળકને બચાવવામાં ફાયર બ્રિગેડ અને સેનાના જવાનોની પણ મદદ લેવામાં આવી હતી. ત્યારે બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢી લેતાં પરિવારજનો અને ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
આવા ખુલ્લા બોરમાં ખેતરમા રેહતા મજૂરના બાળકો પડી જવાના બનાવો બને છે. ત્યારે આવો જ એક બનાવ મંગળવારે દુદાપુર ગામે બન્યો હતો. જેમાં ગામના કાળુભાઈ રબારીના વાડીમાં વાડીના મજૂરનું આશરે અઢી વર્ષનું બાળક રાત્રે 8 વાગ્યે પડી ગયું હતું. આ બનાવના સમાચાર મળતા મામલતદાર એસ.એમ. ફળદુ પોલીસ નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ આરોગ્યની ટીમ પોલીસ ઘટના સ્થળ દોડી ગયા હતા. જ્યાં 30 ફૂટ પર બાળક સલવાયું હોવાનું જણાયું હંતુ.
ધ્રાંગધ્રાના દુદાપુર ગામે બોરમાં પડેલા બાળકને બચાવાયું#Bore #child #fall #surendranagar #dhragadhra pic.twitter.com/RLzUwA0yVK
— thechabuk (@thechabuk) June 8, 2022
તપાસ કરતા બાળક 30 ફૂટે સલવાઈ ગયું હતું અને રડવાનો અવાજ આવતો હોવાનું જણાયું હતું. આથી બાળકને જીવિત રાખવા ઓક્સિજન આપવા માટેની કામગીરી શરૂ કરીને બચાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. બાળકને બચાવવા માટે સેનાના જવાનોની પણ મદદ લેવાઈ હતી. ત્યારે અંતે બાળકને સુરક્ષિત રીતે બચાવી લેવાયું છે અને ત્યારબાદ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવાયું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
