Team Chabuk-Gujarat Desk: સુરતના પાંડેસરામાં માતા-પુત્રીની દુષ્કર્મ બાદ હત્યા મામલે કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. સુરત કોર્ટે દોષિતને ફાંસીની સજા સંભળાવી છે. પાંડેસરામાં માતા-પુત્રી પર દુષ્કર્મ બાદ હત્યા મામલે આજે કોર્ટે દોષિતોને સજા સંભળાવી છે. જેમાં મુખ્ય દોષિત હર્ષ સહાય ગુર્જરને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. જ્યારે સહ આરોપી હરિઓમને આજીવન કેદની સજા ફટકારાઈ છે.
સરકાર પક્ષે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર પી.એન. પરમારે દલીલો કરી હતી. મહત્વનું છે કે વર્ષ 2018માં સુરતના પાંડેસરામાં માતા અને પુત્રી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરી દેવામાં આવી હતી. રાજ્યભરમાં ચકચાર મચાવનારી આ ઘટનામાં મુખ્ય દોષિત હર્ષ સહાય ગુર્જર સામે 302, 323,201,376(2)’ પોસ્કો એકટ મુજબ ગુનો નોંધાયો હતો.
વર્ષ 2018માં સુરતના પાંડેસરામાં માતા અને પુત્રી પર દુષ્કર્મ ગુજારી હત્યા નિપજાવવાના કેસની વિગત જોઈએ તો, દોષિત હર્ષ સહાય રામરાજ ગુર્જર રાજસ્થાનથી એક મહિલા અને તેની પુત્રીને 35 હજારમાં ખરીદીને લાવ્યો હતો. ત્યારબાદ આરોપીએ બન્નને પરવટ પાટિયાના અનુપમ હાઇસ્ટ બિલ્ડિંગમાં રાખ્યા હતા. બાદમાં કામરેજ નજીક માનસરોવર રેસિડેન્સી બિલ્ડિંગ નંબર-17 ના એક ખાલી ફલેટમાં રહેવાની વ્યવસ્થા કરી હતી. પરંતુ થોડા સમય પછી મહિલા અને આરોપી હર્ષ સહાય વચ્ચે ઝઘડા થતા હોવાથી મહિલાની તેની પુત્રીની નજર સામે જ હત્યા કરી નાખી હતી.
બાદમાં મહિલાની પુત્રીને હર્ષ સહાય ગુર્જર તેના ઘરે લઈ ગયો હતો અને તેની પર અવારનવાર દુષ્કર્મ ગુજારી તેની પણ હત્યા કરવામાં આવી હતી. જાણવા મળ્યું હતું કે, રોજેરોજ માર મારી રોજ અત્યાચાર ગુજારવામાં આવતો હોવાથી બાળાનું પણ મૃત્યુ થતાં હર્ષ સહાય ગુર્જરે તેના ડ્રાઈવર હરિઓમ ગુર્જરની સહાયથી લાશને ભેસ્તાનના ફકીર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે ફેંકી દીધી હતી.
માતા-પુત્રીના મૃતદેહ અલગ અલગ વિસ્તારોમાં ફેંકી દીધા હતા અને બાદમાં બન્ને મૃતદેહ ઝાડીમાંથી મળી આવ્યા હતા. જેમાં બાળકી અને માતાની ઓળખ ડીએનએ દ્વારા કરવામાં આવી હતી. આ ઘટનામાં ભોગ બનેલી બાળકીના શરીરે 78 જેટલા ઇજાના નિશાન પણ મળી આવ્યા હતા. આખરે આ ચકચારી કેસમાં સુરત કોર્ટે મુખ્ય દોષિતને ફાંસીની સજા ફટકારી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
