Team Chabuk-Gujarat Desk: છેલ્લા 8 દિવસથી વધતાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં સતત ત્રીજીવાર કોરોનાન કેસનો આંકડો 6 હજારને પાર પહોંચ્યો છે. વધુ કેસ આવ્યા છે. ગુજરાતમાં એક દિવસમાં 6 હજાર 97 નવા કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 1893 કેસ જ્યારે સુરતમાં 1778 કેસ સામે આવ્યા છે. જ્યારે 1539 દર્દીઓ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. તો રાજકોટ અને સુરતમાં એક-એક એમ રાજ્યમાં કુલ 2 દર્દીનું કોરોનાથી મોત થયું છે. તો રાજ્યમાં ઓમિક્રૉનના પણ એક દિવસમાં 18 કેસ નોંધાયા છે.



રાજ્યમાં એક દિવસમાં ઓમિક્રૉનના 28 નવા કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ વડોદરમાં 9, અમદાવાદ શહેરમાં 5, ગાંંધીનગર શહેરમાં 5, આણંદમાં 4, કચ્છમાં 2, રાજકોટ શહેરમાં 2 અને ગાંધીનગર જિલ્લામાં 1 કેસ નોંધાયા છે. તો બીજી તરફ અમદાવાદ શહેરમાં 27, આણંદમાં 2, મહેસાણામાં 3 કચ્છમાં 5 એમ કુલ 37 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં 8 લાખ 25 હજાર 702 દર્દી ડિસ્ચાર્જ થયા છે. જો એક્ટીવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 32 હજાર 469 એક્ટીવ કેસ છે, જેમાંથી 29 દર્દી વેન્ટીલેટર પર છે, જ્યારે 32 હજાર 440 દર્દીની હાલત સ્થિર છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત