Homeગુર્જર નગરીઅમદાવાદઃ મેરેજ એનિવર્સરી ઉજવીને પરત ફરતી વખતે કારે ટક્કર મારતાં પતિ-પત્નીના મોત,...

અમદાવાદઃ મેરેજ એનિવર્સરી ઉજવીને પરત ફરતી વખતે કારે ટક્કર મારતાં પતિ-પત્નીના મોત, બે મહિના પહેલાં જ થયા હતા લગ્ન

Team Chabuk-Gujarat Desk: અમદાવાદનો એસજી હાઈવે અકસ્માતનો હોટ સ્પોટ બની ગયો છે. એસજી હાઈવે પર પુરપાટ ઝડપે ચાલી રહેલા વાહનો જોખમરૂપ બની રહ્યા છે. ત્યારે ગત મોડી રાત્રે એસજી હાઈવેના સોલા બ્રિજ પર કારચાલકે બાઈક પર જઈ રહેલા પતિ-પત્નીને અડફેટે લેતાં બન્નેના મોત નિપજ્યા છે. મળતી માહિતી પ્રમાણે પોતાના લગ્નને બે મહિના વિત્યા હોવાથી મેરેજ એનિવર્સરી ઉજવીને ઘરે જતી વખતે દંપતીને અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે કારની ટક્કર વાગતાં દંપતી ફંગોળાઈને બ્રિજની નીચે પડ્યું હતું.

આ ગંભીર અકસ્માતમાં પતિ-પત્નીના મોત નિપજ્યા છે. અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માત સર્જનાર સફેર કલરની સ્વીફ્ટ કારનો નંબર જીજે-01-કેપી-9398 હોવાનું જાણવા મળ્યું છે. એસજી હાઇવે 1 પોલીસે આ મામલે ગુનો નોંધી કાર ચાલકનીની શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ચાંદખેડા વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર દ્વારકેશ વાણિયા અને તેમનાં પત્ની જુલી ગઈકાલે મોડી રાતે એક્ટિવા લઈને અમદાવાદના એસજી હાઈવે પર સોલા ભાગવત વિદ્યાપીઠના બ્રિજ પરથી પસાર થતા હતા. એ સમયે પૂરઝડપે આવી રહેલી કારે તેઓના એક્ટિવાને અડફેટે લીધું હતું. કારની જોરદાર ટક્કર વાગતાં પતિ-પત્ની બ્રિજની નીચે પટકાયા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.

મહત્વનું છે કે, અકસ્માતમાં મૃત્યુ પામનાર દંપતીના લગ્ન બે મહિના પહેલાં જ થયા હતા. ગઈકાલે તેમના લગ્નને બે મહિના પૂરા થતાં હોય એનિવર્સરી ઉજવવા માટે બહાર ગયા હતા અને ત્યાંથી પરત ફરતી વખતે તેમના પર કાળ બનીને કાર ફરી વળી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે દંપતીને અડફેટે લીધા બાદ 100 મીટરના અંતરે તેઓ બ્રિજ પરથી નીચે પટકાયા હતા. જોકે અકસ્માત બાદ કારચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હોવાનું અને વેજલપુર વિસ્તારનો રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું. હાલ પોલીસે કારના નંબરના આધારે ગુનો નોંધીને આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments