Team Chabuk-Sports Desk: T20 વર્લ્ડ કપ 2022માં ભારતની સફર સમાપ્ત થઈ છે. એડિલેડમાં નિરાશાજનક હાર મળ્યા બાદ ભારતીય ફેન્સનું દિલ તૂટી ગયું છે. ભારતીય ટીમને વિશ્વકપ જીતવા માટે દાવેદાર માનવામાં આવી રહી હતી જો કે, આ હાર સાથે જ એ અટકળોનો અંત આવી ગયો છે. સેમીફાઈનલમાં ટીમ માટે શાનદાર પ્રદર્શન કરનાર હાર્દિક પંડ્યા પણ પોતાની નિરાશા છુપાવી શક્યો નહીં. અને ચાહકો માટે એક ખાસ સંદેશમાં દુઃખ વ્યક્ત કર્યું.
સેમીફાઈનલમાં હાર્દિકે 33 બોલમાં 63 રનની શાનદાર ઈનિંગ રમીને ભારતને છ વિકેટે 168 પર પહોંચાડ્યું હતું. નિષ્ણાતો જાણતા હતા કે, સ્કોર સન્માન જનક છે પરંતુ જીત માટે પર્યાપ્ત નથી. એવામાં ભારતીય બોલર્સે શરૂઆતમાં વિકેટ ન લેતા ભારતીય ટીમની હાર નક્કી થઈ ગઈ હતી. આખરે માત્ર 16 ઓવરમાં જ ઈંગ્લેન્ડે આ લક્ષ્ય મળવી લીધુ એ પણ એક પણ વિકેટ ગુમાવ્યા વગર.
આ અંગે હાર્દિકે કહ્યું કે, નિરાશ, દુઃખી, આઘાતમાં. આ પરિણામ સ્વીકારવું આપણા બધા માટે મુશ્કેલ છે. અમે અમારા સાથી ખેલાડીઓ સાથેના સંબંધોનો સંપૂર્ણ આનંદ માણ્યો છે, અમે દરેક બાબતે એકબીજા માટે લડ્યા છીએ. મહિનાઓના સમર્પણ અને સખત મહેનત માટે અમારા સપોર્ટ સ્ટાફનો આભાર.
Devastated, gutted, hurt. Tough to take, for all of us. To my teammates, I’ve enjoyed the bond that we built – we fought for each other every step of the way. Thank you to our support staff for their endless dedication and hardwork for months on end. pic.twitter.com/HlVUC8BNq7
— hardik pandya (@hardikpandya7) November 10, 2022
એટલું જ નહીં, હાર્દિકે ઓસ્ટ્રેલિયાના દરેક સ્ટેડિયમને ભરીને ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા આવેલા હજારો પ્રશંસકોને એક ખાસ સંદેશ પણ આપ્યો હતો. તેણે લખ્યું, અમારા ચાહકોનો આભાર જેમણે અમને દરેક જગ્યાએ સમર્થન આપ્યું, અમે તમારા બધાના આભારી છીએ. આવું થવાનું ન હતું, પરંતુ અમે લડતા રહીશું.
Devastated, gutted, hurt. Tough to take, for all of us. To my teammates, I’ve enjoyed the bond that we built – we fought for each other every step of the way. Thank you to our support staff for their endless dedication and hardwork for months on end. pic.twitter.com/HlVUC8BNq7
— hardik pandya (@hardikpandya7) November 10, 2022
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
