Homeગામનાં ચોરેJharkhand: ધનબાદમાં એપોર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી, 10 મહિલાઓ સહિત 14 ના મોત

Jharkhand: ધનબાદમાં એપોર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી, 10 મહિલાઓ સહિત 14 ના મોત

Team Chabuk-National Desk: ધનબાદના આશીર્વાદ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. આગ એપાર્ટમેન્ટના ત્રીજા માળે લાગી હતી. ફાયર ટેન્ડર આગ ઓલવવામાં રોકાયેલા છે. આ ઘટનામાં 14 લોકોના મોત થયા છે, જેમાં 10 મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. આ ઘટનામાં 15થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ જાણકારી ધનબાદના ડેપ્યુટી કમિશનરે આપી છે.

આ આગની ઘટનામાં 15થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગની આ ઘટના ધનબાદના આશીર્વાદ એપાર્ટમેન્ટના ત્રીજા માળે બની છે, જ્યાં અત્યાર સુધીમાં ફસાયેલા 50થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલુ છે. આ મામલો ધનબાદના બેંકમોડ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. આ ઘટનાને કારણે પોલીસે અનેક લોકોની જાનહાની થવાની શક્યતા વ્યક્ત કરી છે. આગની જ્વાળાઓને જોતા ભારે જાન-માલનું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments