Team Chabuk-Gujarat Desk: મોરબી જિલ્લાના હળવદમાં હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો છે. દિવાળીના તહેવાર ટાણે જ હડકાયા કૂતરાએ જાણે આખા હળવદને બાનમાં લીધું હોય તેમ એક જ દિવસમાં 23 લોકોને બચકાં ભરી લીધા હતા. આ હડકાયા કૂતરાના આતંકથી હળવદ શહેરના લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ હળવદની હોસ્પિટલમાં સુવિધાના નામે પણ મીડું હોય તેમ લાગી રહ્યું છે. કેમ કે હળવદની હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી ન હોવાથી ઈજાગ્રસ્તોને સારવાર માટેના ઈન્જેક્શન આપવા માટે મોરબી અને સુરેન્દ્રનગર લઈ જવા પડ્યા હતા.
મળતી વિગતો પ્રમાણે આજે ગુરુવારના રોજ હળવદ શહેરના ધ્રાંગધ્રા દરવાજા વિસ્તારમાં એક હડકાયા કૂતરાએ સમગ્ર વિસ્તારનો પોતાના બાનમાં લઈ લીધો હતો અને સમગ્ર વિસ્તારમાં પોતાનો આતંક વર્તાવ્યો હતો. આ હડકાયા કૂતરાએ એક જ દિવસમાં 23 લોકોને બચકાં ભરીને ઈજાગ્રસ્ત કરી દીધા છે. હળવદ શહેરમાં કૂતરું હડકાયું થયું હોય અને 23 જેટલા લોકોને બચકાં ભરી લીધા હોવાના સમાચાર શહેરમાં પ્રસરી જતાં લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે. ઘણા લોકોએ કામ વગર ઘરની બહાર ન નીકળવાનું પણ યોગ્ય માન્યું છે.
આ તરફ 23 લોકોને કૂતરાએ બચકાં ભર્યા હોવાથી તેઓને સારવાર માટે હળવદની હોસ્પિટલ લઈ જવાતાં ત્યાં હડકવા વિરોધી રસનીના ઈન્જેક્શનનો સ્ટોક જ ખાલી થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે ઈજાગ્રસ્ત લોકોને પરિવારજનો દ્વારા મોરબી અને સુરેન્દ્રનગર સારવાર માટે દોડવું પડ્યું હતું. આમ લોકો સરકારી તંત્રની અસુવિધાનો પણ ભોગ બન્યા હતા.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત