Homeગુર્જર નગરીદ્વારકાધીશ મંદિરના દ્વાર આવતીકાલથી ૨૩મી જાન્યુઆરી સુધી બંધ

દ્વારકાધીશ મંદિરના દ્વાર આવતીકાલથી ૨૩મી જાન્યુઆરી સુધી બંધ

Team Chabuk-Gujarat Desk: દેશભરમાં કોરોના સંક્રમણ વધ્યું હોય ત્યારે લાખો શ્રદ્ધાળુઓના હિતમાં દ્વારકાધીશ મંદિર વહીવટીદાર કમિટીએ કાલથી આગામી ૨૩મી જાન્યુઆરી સુધી મંદિરના કપાટ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મંદિરમાં માત્ર પૂજારી પરિવાર પારંપારિક નિત્યક્રમ કરશે.આ ઉપરાંત દર્શનાર્થીઓ દ્વારકાધીશજીના દર્શન સંસ્થાની વેબસાઈટ WWW.DWARKADHISH.ORG પર લાઈવ નિહાળી શકશે.

કોરોનાવાયરસની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ સંક્રમણને નિયંત્રણમાં રાખવા ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય,સામાજીક,શૈક્ષણિક, સાંસ્કૃતિક તેમજ ધાર્મિક કાર્યક્રમો અને જાહેર સમારંભોમાં માત્ર 150 વ્યક્તિઓને જ એકત્ર થવાની છૂટ આપી છે. તેમજ બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50 ટકા વ્યક્તિઓ ભેગા થઈ શકશે જેવા ફેરફારો આગામી તારીખ 22મી જાન્યુઆરી સુધી કરવામાં આવ્યા છે.ત્યારે પ્રત્યેક પૂર્ણિમા નિમિત્તે દ્વારકાધીશ મંદિર-દ્વારકા ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડે છે તેવા સંજોગોમાં આવતીકાલે પૂર્ણિમા તા.17/01/2022ના રોજ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડે તેવી સંભાવના છે જેથી મંદિર આવતીકાલ 17 જાન્યુઆરીથી આગામી 23 જાન્યુઆરી સુધી બંધ રાખવા વહીવટીદાર કમીટી તેમજ વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત નિર્ણય લેવાયો છે.

મંદિરમાં માત્ર પૂજારી પરિવાર દ્વારા પારંપારિક નિત્યક્રમ કરવામાં આવશે.દર્શનાર્થીઓ ભગવાન દ્વારકાધીશના દર્શન સંસ્થાની વેબસાઈટ WWW.DWARKADHISH.ORG પર લાઈવ નિહાળી શકશે. ત્યારે દ્વારકાધીશજીના દર્શન ઘરે બેઠા નિહાળવા વ્યવસ્થાપન કમિટી તેમજ જિલ્લા કલેક્ટરે અનુરોધ કર્યો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments