Team Chabuk-National Desk: સુપ્રસિદ્ધ કથક સમ્રાટ પંડિત બિરજુ મહારાજનું હાર્ટ-એટેકને કારણે નિધન થયું છે. પદ્મવિભૂષણ સન્માનિત બિરજુ મહારાજાએ 83 વર્ષની વયે દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા છે. તેમના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ આ માહિતી આપી હતી. બિરજુ મહારાજના અવસાનના સમાચારથી તેમના ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કથક સમ્રાટના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે ટ્વીટ સંદેશ દ્વારા કહ્યું કે, ભારતીય નૃત્યકલાને વિશ્વભરમાં વિશિષ્ટ ઓળખ આપનારા પંડિત બિરજુ મહારાજજીના નિધનથી અત્યંત દુઃખી છુ. તેમનું જવું સંપૂર્ણ કલા જગત માટે એક અપૂર્ણ ક્ષતિ છે. દુઃખના આ સમયમાં મારી સંવેદના તેમના પરિવારજનો અને પ્રસંશકો સાથે છે. ઓમ શાંતિ.
भारतीय नृत्य कला को विश्वभर में विशिष्ट पहचान दिलाने वाले पंडित बिरजू महाराज जी के निधन से अत्यंत दुख हुआ है। उनका जाना संपूर्ण कला जगत के लिए एक अपूरणीय क्षति है। शोक की इस घड़ी में मेरी संवेदनाएं उनके परिजनों और प्रशंसकों के साथ हैं। ओम शांति! pic.twitter.com/PtqDkoe8kd
— Narendra Modi (@narendramodi) January 17, 2022
મળતી માહિતી મુજબ મોડી રાત્રે બિરજુ મહારાજ તેમના પૌત્ર સાથે રમી રહ્યા હતા ત્યારે તેમની લથડી હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક સાકેતની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
તેમનાં પરિવારજનોએ કહ્યું કે, થોડા દિવસો પહેલાં મહારાજની કિડનીની બીમારીની સારવાર કરવામાં આવી હતી. સિંગર્સ માલિની અવસ્થી અને અદનાન સામીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
બિરજુ મહારાજનો જન્મ 4 ફેબ્રુઆરી 1938ના રોજ લખનઉમાં થયો હતો. તેમનું સાચું નામ પંડિત બ્રિજમોહન મિશ્રા હતું. કથક નૃત્યકાર ઉપરાંત તેઓ શાસ્ત્રીય ગાયક પણ હતા. બિરજુ મહારાજના પિતા અને ગુરુ અચ્છન મહારાજ, કાકા શંભુ મહારાજ અને લચ્છુ મહારાજ પણ પ્રખ્યાત કથક નૃત્યકાર હતા.બિરજુ મહારાજને 1983માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને કાલિદાસ સન્માન પણ એનાયત કરાયા છે. તો કાશી હિંદુ યુનિવર્સિટી અને ખૈરાગઢ યુનિવર્સિટીએ પણ બિરજુ મહારાજને માનદ ડૉક્ટરેટની પદવી એનાયત કરી હતી.
2012માં તેમને વિશ્વરૂપમ ફિલ્મમાં ડાન્સ કોરિયોગ્રાફી માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. 2016માં બાજીરાવ મસ્તાનીનું ‘મોહે રંગ દો લાલ’ ગીતના કોરિયોગ્રાફી માટે ફિલ્મફેર અવૉર્ડ પણ મળ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત