Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ જિલ્લામાં મગફળીનું સૌથી વાવેતર કરવામાં આવે છે. આ વર્ષે જૂનાગઢ જિલ્લામાં ૬૦ ટકા વિસ્તારમાં વાવણી થઈ છે. ૪૦ ટકા વિસ્તાર વાવેતર વગરનો બાકી છે. અત્યારે વરસાદ ખેંચાતા અને તાપમાન વધારો થતા ચુસીયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ વધશે. ત્યારે આ જીવાતના ઉપદ્રવને દુર કરવા માટે નિષ્ણાત દ્વારા ખેડૂતોને સૂચનો કરવામાં આવ્યા છે.
તે માટે ડાયમીથીઓયેટ–૨૦ મિલી અથવા થાયોમીથોકઝામ ૨.૫ ગ્રામ અથવા મીથાઈલ–ઓ– ડીમેટોન ૧૦ મિલી અથવા ફોલ્ફામીડોન ૩ મિલી ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો. તેમજ જો સુકારો માલુમ પડે તો ૫૦ થી ૬૦ ગ્રામ ટ્રાઈકોડર્મા પાવડર ૧૦ લીટર પાણીમાં નાખી નોઝેલ કાઢી જ્યા સુકારો ચાલુ થયો હોય ત્યાં ડ્રેન્સિંગ(ઘાર)કરવી.
જ્યા પણ પાણીની સગવડતા હોય તેમણે વરસાદની રાહ જોયાવગર ડ્રીપ, ફુવારા તેમજ ક્યારામાં પિયત આપી દેવું. વચ્ચે ખાલા પડી ગયા હોય તો ટૂંકા ગાળાના પાકો જેવા કે કઠોળ તલ જેવા પાકથી ખાલા પુરવા.
હવે વેલડી કે અર્ધ વેલડી મગફળીનું વાવેતર કરવું નહી. પણ ઉભડી મગફળીનું વાવેતર કરી શકાય. પણ વધારે સલાહભર્યુ એ છે કે ટુંકાગાળાનો પાક કઠોળ, બાજરી, મકાઈ, જુવાર, તેમજ ઘાસચારાના પાકો વાવવા. પાછતરો વરસાદ સારો થાય તો રીલે પાક તરીકે તુવેર અથવા એરંડા પણ વચ્ચે વાવેતર કરી શકાય. તેમ સહ વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.જી.આર.ગોહિલે જણાવ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત