Homeગુર્જર નગરીઅમદાવાદ-વડોદરા હાઈવે પર ફાલ્કોન કંપનીની લક્ઝરી બસમાં આગ, વીસ મુસાફરોનો બચાવ

અમદાવાદ-વડોદરા હાઈવે પર ફાલ્કોન કંપનીની લક્ઝરી બસમાં આગ, વીસ મુસાફરોનો બચાવ

Team Chabuk-Gujarat Desk: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ફાલ્કોન ટ્રાવેલ્સની GJ 36 T 9997 નંબરની લક્ઝરી બસ ભડભડ સળગી ઉઠી હતી. આગનો બનાવ બનતા લોકો બૂમો પાડવા લાગ્યા હતા અને અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે બસમાં સવાર તમામ મુસાફરો બચી ગયા હતા અને કોઈને નજીવી ઈજા સુદ્ધાં પણ પહોંચી નહોતી. જોકે આગના દૃશ્યો ભયાનક હતા. રોડની એક સાઈડમાં પાર્ક કરેલી બસની લપેટો ક્યાંક નજીકથી પસાર થઈ રહેલા વાહનને પોતાની ઝપેટમાં ન લઈ લે તેવો પણ ગણગણાટ વ્યાપી ગયો હતો.

સળગતી બસનો વીડિયો કેટલાક લોકોએ ઉતાર્યો છે. જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આગની લપેટો એટલે મોટી હતી કે થોડીવારમાં આખી બસને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. આગ લાગવા પાછળનું કારણ શું તેની માહિતી નથી મળી. જોકે બસમાં આગ લાગવાની ઘટના સામે આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી.

ફાલ્કોન કંપનીની આ બસ અમદાવાદથી મુંબઈ જઈ રહી હોવાની માહિતી મળી છે. બસમાં વીસ જેટલા મુસાફરો હતા જેમનો આબાદ બચાવ થયો હતો. બસમાં આગ લાગતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બસમાં આગની ઘટના બનતા ડ્રાઈવર બસ છોડી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હાલ તો બસમાં આગ લાગવા પાછળનું કયું કારણ છે તેની તપાસ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સુરતની એક બસમાં પણ આગ લાગવાની ઘટના બની હતી. જેમાં 58 જેટલા મુસાફરો સવાર હતા. આ ઘટનામાં બસ ઝટકા મારીને બંધ થયા બાદ બ્લાસ્ટ થયો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments