Team Chabuk-Gujarat Desk: સુરતના કડોદરામાં પિતાએ પોતાના હાથે જ દીકરીની હત્યા કરી દીધી. નિષ્ઠુર પિતાએ દીકરીને 17 જેટલા ઘા ઝીંકી અત્યંત ક્રૂર રીતે મોતને ઘાટ ઉતારી દીધી. દીકરી પર ઉપરા છાપરી છરીના ઘા ઝીંકાતા રૂમ આખો લોહીથી લથપથ થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ ઉંઘવા બાબતે થયેલા ઝઘડામાં પિતા દ્વારા દીકરી, ત્રણ દીકરા અને પત્ની પર મટન કાપવાના છરાથી હુમલો કર્યો હતો જેમાં દીકરી મોતને ભેટી છે જ્યારે માતા ઈજાગ્રસ્ત થઈ છે.
કડોદરામાં સત્યમ નગર વિસ્તારમાં રામાનુજ શાહુ (ઉં.વ.42) પત્ની રેખાદેવી (ઉ.વ.40), દીકરી ચંદાકુમારી (ઉં.વ.19) અને ત્રણ દીકરાઓ સૂરજ, ધીરજ અને વિશાળ સાથે રહેતો હતો. મૂળ બિહારનો રામાનુજ મિલમાં મજૂરી કામ કરતો હતો. રાત્રે ધાબા પર પત્ની સાથે સુવા બાબતે રામાનુજનો ઝઘડો થયો હતો. આ ઝઘડાના કારણે દીકરી ચંદા અને તેના ત્રણ ભાઈઓ દોડી આવ્યા હતા. માતાને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો જો કે, પિતાએ દીકરા- દીકરી પર પણ હુમલો કરી દીધો હતો.
રામાનુજે હુમલો કરતા પત્નીની આંગળીઓ કપાઈ ગઈ હતી. ત્યારબાદ તે થોડી દૂર જતી રહી હતી. માતાને બચાવવા આવેલા દીકરાઓ પર પણ પિતાએ હુમલો કર્યો હતો. જેમાં ત્રણે દીકરાઓને ઈજા પહોંચી હતી. જો કે, પિતાના હાથમાં દીકરી આવી જતા તેના પર ઉપરા ઉપરી છરીના 17 જેટલા ઘા ઝીંકી દીધા હતા.
દીકરીને હાથ અને ચહેરા પર ઘા માર્યા હતા. જેમાં દીકરીના ચહેરા પર મારવામાં આવેલા ઘાથી ચહેરાના બે ભાગ થઈ ગયા હતા અને દીકરીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે માતા અને ત્રણ દીકરાઓને ઈજા પહોંચતા હોસ્પિટલ લઈ જવાયા હતા. પોલીસે હત્યા કરનારા પિતા રામાનુજને ઝડપી લીધો છે. હાલ આ સમગ્ર કેસમાં ગુનો નોંધી પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા