Team Chabuk-Gujarat Desk: નવલા નોરતાનો પ્રારંભ થઈ ગયો છે. રાજ્યભરમાં અનેક જગ્યાએ નવરાત્રિ મહોત્સવના આયોજનો કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા શહેરના ચાર ઝોનમાં નવરાત્રિ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ શહેરના નોર્થ ઝોનમાં શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ દ્વારા ભવ્ય આયોજન કરાયું છે. ખોડલધામ નોર્થ ઝોન નવરાત્રિ મહોત્સવમાં પ્રથમ નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમ્યા હતા. આ પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે પણ ઉપસ્થિત રહીને મા ખોડલની આરતી ઉતારી હતી.






ખોડલધામ નવરાત્રિ મહોત્સવ નોર્થ ઝોન દ્વારા સ્પીડવેલ પાર્ટી પ્લોટવાળો નવો 150 ફૂટ રીંગ રોડ, કણકોટ રોડ કોર્નર, રાજકોટ ખાતે વિશાળ મેદાનમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. આ વર્ષે ગરબાના સ્પેશિયલ સીંગર તરીકે દેવ ભટ્ટ, હીના મીર, જય દવે, મીલન ગોહીલ (પ્રસ્તુત ઓરકેસ્ટ્રા મેગા સ્ટાર), આરીફ ચીના (ઉસ્તાદ, મ્યૂઝિક અને રિધમ), એન્કર તરીકે મીરા દોશી મણીયાર જોડાયા છે. દરરોજ હજારોની સંખ્યામાં ખેલૈયાઓ મનમૂકીને ગરબે રમી રહ્યા છે. ખેલૈયાઓએ પાસ મેળવવા માટે શ્રી ખોડલધામ કાર્યાલય નોર્થ ઝોન, રાજનગર ચોક, એસબીઆઈ બેંકની સામે, ગ્લોબલ હોસ્પિટલની બાજુમાં, રાજકોટ ખાતે મો.નં- 90999 99995 અથવા 97222 02222 પર સંપર્ક કરવો. આ ઉપરાંત નવરાત્રિ મહોત્સવના સ્થળ પરથી પણ પાસ મેળવી શકાય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત