Team Chabuk-Gujarat Desk: ખેડાના કઠલાલમાં (kheda) મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં (accident) પાંચ લોકોના મોત નિપજ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે અકસ્માત પછી સ્વીફ્ટ કાર ઓળખાવા જેવી હાલતમાં પણ ન રહી. સ્વીફ્ટ કારનું પડીકું વળી ગયું હતું. આખી કારનો બૂકડો બોલી ગયો હતો. આ અત,માચમાં મૃત્યુ પામનારમાં બે વ્યક્તિ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના બાબાજીપૂરા ગામના છે. જયારે અન્ય બે મૃતકો અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ચેજરા અને વસવલિયાના વતની છે.
કઠલાલ તાલુકાના પોરડા પાટીયા નજીક મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. કાર કપડવંજથી કઠલાલ તરફ આવી રહી હતી તે દરમિયાન પોરડા પાસે અકસ્માત સર્જાયો હતો. સ્વીફ્ટ કાર ટેન્કરને ઓવરટેક કરવા જતા અથડાઈ હતી, અને જોતજોતામાં કારના કુરચેકુરજા ઉડી ગયા હતા. ટેન્કર સાથે અથડાયા બાદ કાર પલટી ખાઈ ગઈ હતી.
જે કારમાં અકસ્માત સર્જાયો તેમાં પાંચ લોકો સવાર હતા. જેમાંથી ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ગંભીર હાલતમાં કઠલાલની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું પણ મોત નિપજ્યું હતું. આમ અકસ્માતમાં કુલ 5 લોકોના મોત નિપજ્યા છે. મૃતકોના મૃતદેહને કઠલાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા હતા.
મૃતકોમાં બે વ્યક્તિ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના બાબાજીપૂરા ગામના છે. જયારે અન્ય બે મૃતકો અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના ચેજરા અને વસવલિયાના રહેવાસી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
