Team Chabuk-Gujarat Desk: બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા તા.૦૭/૦૩/૨૦૨૨ થી તા.૦૮/૦૩/૨૦૨૨ દરમિયાન કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ દિવસો દરમિયાન જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં છુટા છવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ રહેલી છે. જે ધ્યાને લઇ હવામાન વિભાગ દ્વારા જિલ્લાના ખેડૂતોને કાળજી રાખવાનું જણાવામાં આવ્યુ છે. ખેતી પાકોના રક્ષણ માટે જિલ્લા ખેતીવાડી અધિકારી, બનાસકાંઠા- પાલનપુર, શ્રી પી. કે. પટેલે નીચે મુજબના પગલા લેવાં જણાવ્યું છે.
જિલ્લામાં હાલમાં ઘઉં, રાજગરો, રાયડો, ચણા, જીરૂ, વરીયાળી તેમજ દિવેલાનો પાક તૈયાર થયેલ હોય તો હાલ પુરતુ કાપણી ટાળવી. જો કાપણી થઇ ગઇ હોય તો તાડપત્રી ઢાંકીને રાખવી. ખેડૂતોએ પોતાના ઉત્પાદિત થયેલ ખેત પેદાશને સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા અથવા તાડપત્રીથી ઢાંકીને રાખવા અને તાડપત્રી હાથવગી રાખી પોતાની ખેત પેદાશને વેચાણ અર્થે એપીએમસીમાં લઇ જતી વખતે ખેત જણસીઓ તાડપત્રી ઢાંકીને લઇ જવી.
જિલ્લામાં બે દિવસ વરસાદી ઝાપટા પડવાની આગાહી છે. તેવા સમયે વેચાણ શક્ય હોય તો ટાળવું અને એપીએમસીમાં રહેલ ખેત જણસીઓ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા માટે વેપારી મિત્રોને પણ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયુ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત