Team Chabuk-Gujarat Desk: ગત વર્ષે તા.૦૭/૦૯/૨૧ના રોજ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રીના સાડા આઠેક વાગ્યા વખતે મોરબી શનાળા બાયપાસ રોડ, ભક્તિનગર સર્કલ પાસે ફાયરીંગનો બનાવ બનેલ, જેમા ફોરચ્યુનર ગાડી ઉપર અંધાધુધ ફાયરીંગ થતા મહમદ હનીફભાઇ ઉર્ફે મમુદાઢી ગુલામભાઈ કાસમાણી રહે. મોરબી ખાટકીવાસ વાળા નું મોત થયેલ. આ કેસમાં આરોપી આરીફ ગુલામ મીર સહીત કુલ-૧૩ આરોપીઓ સામે આઇ.પી.સી. કલમ-૩૦૨, ૩૦૭, ૩૨૩, ૩૪૧, ૪૨૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૨૦બી, ૩૪ તથા આર્મ્સ એકટ કલમ ૨૫ (૧બી) એ, ૨૭ તથા જી.પી.એ. કલમ ૧૩૫ મુજબનો ગુન્હો નોંધવામાં આવેલ છે. આ કેસની તપાસ દરમિયાન ધી ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એકટ ૨૦૧૫ ની કલમ ૩(૧), ૩(૨), ૩(૪) મુજબનો ઉમેરો કરવામા આવેલ છે.
આ કેસની તપાસ દરમ્યાન કુલ ૧૮ આરોપીઓના નામો ખુલવા પામેલ છે. જેમા કુલ ૧૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને નામદાર કોર્ટના હુકમથી અલગ અલગ જેલમાં મોકલી આપેલ છે. આ ઉપરાંત આ હત્યા કેસના આરોપીઓ આરીફ ગુલમામદભાઇ ધોળા/મીર રહે. કાલીકા પ્લોટ નર્મદા હોલ પાસે સાયન્ટીફીક રોડ મોરબી, મકસુદભાઇ ગફુરભાઇ સમા રહે. મોરબી કાલીકા પ્લોટ નર્મદા હોલ પાસે સાયન્ટીફીક રોડ મોરબી, કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઇ મતવા/કુરેશી રહે. વજેપર, મતવા વાસ, મોરબી અને હુશેનશા ઉર્ફે હકો આહમદશા શાહમદાર/ફકીર રહે. વજેપર મેઇનરોડ, દરગાહ પાસે, મોરબી વાળાઓ આ કેસમાં નાસ્તા ફરતા હોય નામદાર કોર્ટમાંથી આરોપીઓ વિરૂધ્ધ સી.આર.પી.સી.કલમ ૭૦ મુજબનુ વોરંટ મેળવવામા આવેલ છે. તેમ છતાં આ આરોપીઓ પોતાની ઘરપકડ ટાળવા સારૂ ગુન્હાના કામે ફરાર થયેલ છે અથવા વોરંટ પોતાના પર બજે નહી એટલા માટે સંતાતા ફરે છે.
વધુમાં ઉપરોક્ત ચારેય આરોપીઓને હાજર થવા સારૂ મે. સ્પેશ્યલ ગુજસીટોક કોર્ટ રાજકોટ દ્વારા સી.આર.પી.સી કલમ ૮૨ મુજબનુ જાહેરનામુ પ્રસિધ્ધ કરી આરોપીઓને ફરિયાદનો જવાબ આપવા કોર્ટ સમક્ષ હાજર થવા કલમ ૮૨ અનુસાર જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત