Homeગુર્જર નગરીપાંચના મોતઃ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના મેથાણ નજીક તળાવમાં ન્હાવા પડેલી ચાર બાળકી અને...

પાંચના મોતઃ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના મેથાણ નજીક તળાવમાં ન્હાવા પડેલી ચાર બાળકી અને એક બાળકનું મોત

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામ નજીક મોટી કરુણાંતિકા સર્જાઈ છે. તળાવમાં ન્હાવા પડેલા પાંચ બાળકોના મોત નિપજ્યાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે. એક સાથે પાંચ બાળકોના મોતથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની વિગતે વાત કરીએ તો મેથાણ અને સરવાળ ગામ વચ્ચે આવેલી તળાવડીમાં ન્હાવા પડેલી ચાર બાળકી અને એક બાળક સહિત પાંચના ડુબી જતાં મોત થયા છે. એક સાથે પાંચ બાળકોના મોતની ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામ નજીક તળાવડીમાં ડૂબી જતાં ચાર બાળકી સહિત પાંચના મોતથી ચકચાર મચી જવા પામી છે. જેમાં સ્થાનિકો લોકોએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે ફાયર અને તરવૈયાની ટીમની મદદથી લાશ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે.

મેથાણ અને સરવાળ ગામ વચ્ચે આવેલી તળાવડીમાં બાળકો ન્હાવા પડતા ડૂબી જતાં મોત નિપજવાની ગોઝારી ઘટના બની છે. જેમાં એકસાથે પાંચ બાળકોના મોતને લઇને સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી છે. જેમાં આ ગોઝારી ઘટનામાં મૃત્યુ પામનારમાં ચાર દીકરી એક દીકરાનો સમાવેશ છે. બાળકોના મોતથી પરિવારજનોમાં પણ આક્રંદ જોવા મળી રહ્યું છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments