Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના શિરવાણીયા ગામમાં ધોરણ 6મા અભ્યાસ કરતાં કિશોરનું ડુબી જવાથી મોત થયું છે. રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધે તે પહેલાં જ બહેનના એકના એક ભાઈનું ડુબી જવાથી મોત થતાં સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ બનાવ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના શિરવાણીયા ગામની સીમમાં બન્યો હતો. મૃતક કિશોર સ્કૂલેથી છૂટીને વાડી જઇને હોજમાં સ્નાન કરવા પડયો અને પાણીમાં ડુબી ગયો હોવાની ઘટનાથી ગામમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.
બનાવની વિગતે વાત કરીએ તો, સાયલા તાલુકાના શિરવાણીયા પ્રાથમિક શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરતો 11 વર્ષનો ધ્રુમિલ ભનુભાઈ શાળામાંથી 12 વાગ્યે છૂટીને વાડીએ ગયો હતો. ત્યાં પાણી પીવાના હોજમાં નહાવા પડતા ડૂબવાથી તેનું મોત નિપજ્યું હતું. તેના પગલે ગામમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.
ધ્રુમિલ ભનુભાઈનો એકનો એક પુત્ર હતો અને વર્ગમાં પ્રથમ નંબર લાવતો હોંશિયાર વિદ્યાર્થી હતો. તાજેતરમાં યોજાયેલા પ્રવેશોત્સવમાં અગ્રણીઓના હસ્તે તેને ઇનામ પણ મેળવ્યું હતું. તેની નાની બહેન નયના ધોરણ ચારમાં અભ્યાસ કરતી હોવાની માહિતી મળી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
