Team Chabuk-Gujarat Desk: બગોદરા-લિંબડી હાઈવે પર વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે અને 25 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. વહેલી સવારે થયેલા અકસ્માતથી હાઈવે મુસાફરોની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. આ અકસ્માત બગોદરા અને લિંબડી વચ્ચે આવેલા જનશાળી નજીક થયો હતો. વહેલી સવારે ખાનગી બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતાં ચાર લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 25 લોકોને ઈજા પહોંચી છે.

મળતી માહિતી પ્રમાણે, વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણમાં બગોદરા અને લિંબડી વચ્ચેના જનશાળી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. તો 25 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જનશાળી પાસે ખાનગી બસ-ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત સર્જાયો હતો. તમામ ઈજાગ્રસ્તોને બગોદરા CHC સેન્ટરમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. વહેલી સવારે આ ઘટના બની હતી. ઈમરજન્સની કોલ મળતા જ 108 એમ્બ્યુલન્સ દર્દીઓની સારવાર માટે કામે લાગી હતી.
જોકે, આ અકસ્માત કેવી રીતે થયો તેનુ કારણ હજી સામે આવ્યું નથી. પરંતુ અકસ્માતને પગલે પોલીસ દોડતી થઈ હતી. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસ હાલ અકસ્માતની માહિતી મેળવી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત