Team Chabuk-Gujarat Desk: તાંત્રિક વિધિના અંધ વિશ્વાસમાં ફસાયેલા પિતાએ પોતાની 14 વર્ષની દીકરીનું ગળું કાપી બલિ ચડાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.. સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે..
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ધાવા ગીર ગામના વાડી વિસ્તારમાં પોલીસને બાતમી મળી હતી કે અહીં વાડી વિસ્તારમાં ભાવેશભાઈ અકબરી નામના વ્યક્તિ છે જે સુરત રહેતા હતા અને છેલ્લા 6 મહિનાથી અહીં વતનમાં આવ્યા હતા. ભાવેશભાઈની 14 વર્ષની બાળકી ધૈર્યા જે ધોરણ 9માં અભ્યાસ કરતી હતી. પરંતુ 8માં નોરતાએ તે બાળકીની રાત્રે તેના જ પિતાએ બલિ ચડાવી હોવાની બાતમી પોલીસને હાલ મળી છે..હાલ પોલીસે ભાવેશ અકબરીની વાડીમાં તપાસ હાથ ધરી છે..
શેરડીના વાડમાંથી 2 કોથળા અને એક રાખ ભરેલી પ્લાસ્ટિકની થેલી મળી આવી છે. કોથળાની અંદર કપડા અને રાખ જોવા મળી છે. જો કે હજુ સુધી પોલીસને કોઈ નક્કર પુરાવો નથી મળ્યો. બીજી તરફ બાળકીના મૃતદેહને 4 દિવસ સુધી ગોદડામાં વિટાળી રાખ્યા બાદ 7 ગામના લોકોએ અંતિમક્રિયા કરી હોવાના આરોપ મામલે પોલીસ અને તાલાલા મામાલદારે અન્ય લોકોની પૂછપરછ હાથ ધરી છે.હાલ તાલાલા પોલીસે ગુમશુદા બાળકીના માતા પિતાની પોલીસ સ્ટેશનમાં પૂછપરછ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત