Homeગુર્જર નગરીગીર સોમનાથની વતની અને રાજકોટમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીનું રહસ્યમય સંજોગોમાં...

ગીર સોમનાથની વતની અને રાજકોટમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ, સાથળ પર બે ચાંભાના નિશાન

Team Chabuk-Gujarat Desk: રાજકોટ શહેરના માધાપર ચોક નજીક આવેલી સિનર્જી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી અલ્પાબહેનનું રહસ્યમય સંજોગોમાં મૃત્યું નિપજ્યું છે. મૃતક માધાપર ચોકની પાસે વરુણ એપાર્ટમેન્ટના બીજા માળમાં રહેતી હતી. જ્યાં બાથરૂમમાં તેણી બેભાન અવસ્થામાં મળી આવી હતી. અલ્પાબહેનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જોકે તેમનું મૃત્યું નિપજતા પરિવારમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. અલ્પાબહેનના શંકાસ્પદ મૃત્યુ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પૂર્વે મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, પરંતુ મૃત્યુનું પ્રમુખ કારણ શું તેનું રહસ્ય અકબંધ રાખવામાં આવ્યું છે. પોલીસ તપાસમાં રૂમમાંથી એક ખાલી ઈન્જેક્શન પણ મળી આવ્યું છે.

બાથરૂમમાં ગયા પણ દરવાજો ન ખોલ્યો

મૃતકની સાથે અન્ય બે રૂમ પાર્ટનર પણ રહેતી હતી. અલ્પાબહેન નોકરી પરથી પરત આવ્યા બાદ નાહવા માટે ગઈ હતી. બાથરૂમમાં ગયા પછી તેણી લાંબા સમય સુધી બહાર ન આવતા રૂમ પાર્ટનર મૂંઝવણમાં મૂકાયા હતા. દરવાજો ખખડાવવામાં આવ્યો હતો, પણ કોઈ ખોલતું નહોતું. અંતે અન્ય ફ્લેટમાં રહેતા લેડી વોર્ડનને બોલાવી દરવાજો તોડાવી જોતા, અલ્પાબહેન બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

ગીર-સોમનાથના વતની

મૃતક અલ્પાબહેન 26 વર્ષના હતા. મૂળ ગીર-સોમનાથ જિલ્લાના વતની હતા. તેમનો ભાઈ મવડી બાજુ નોકરી કરે છે. ઘટનાની જાણકારી મળતા ગાંધીગ્રામના પીએસઆઈ એચ.વી.સોમૈયા સહિતનો સ્ટાફ પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર તેમને અલ્પાબહેનના રૂમમાંથી એક ખાલી ઈન્જેક્શન મળી આવ્યું હતું. જોકે શરીર પર ક્યાંય ઈન્જેક્શનના નિશાન નહોતા મળ્યા. તેમની બંને સાથળ પર ચાંભા પડી ગયા હોય તેવા નિશાન હતા. જેનું રહસ્ય હજુ સુધી સામે નથી આવ્યું. પોલીસે આ મામલે બંને રૂમ પાર્ટનરના નિવેદન લીધા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments