Homeગુર્જર નગરીગીર સોમનાથ: બાકુલા મંદિરની દાનપેટી તોડી ચોર આટલા રૂપિયા લઈ ફરાર

ગીર સોમનાથ: બાકુલા મંદિરની દાનપેટી તોડી ચોર આટલા રૂપિયા લઈ ફરાર

Team Chabuk-Gujarat Desk: ચોર માટે હવે મંદિરો ધાડ પાડવાનું નવું ઠેકાણું બન્યું છે. રોજબરોજ એવી ખબરો સામે આવતી રહે છે કે આ કે તે મંદિરમાંથી ચોર હાથફેરો કરીને ચાલ્યા ગયા. આટલા રૂપિયા ચોરાયા કે આટલા ઘરેણા ચોરાયા. તસ્કરોનો આ ત્રાસ હવે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના બાકુલા ધણેજ ગામ નજીક આવેલા બાકુલા ડુંગર સુધી પહોંચી ગયો છે. અહીંના પીઠડ આઈ માતાજીના મંદિરે તસ્કરોએ કરામત દેખાડી હતી.

મંદિરમાં કસબ આચરવા ઘુસેલા તસ્કરના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવીના આધારે પોલીસે ચોરને ઝડપવા માટે કાર્યવાહી શરૂ કરી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ધાડ પાડનારે દાનપેટી તોડી તેમાંથી દસેક હજાર રૂપિયા ઉઠાવી ગયા છે.

ઘટના 17મી તારીખના રોજ બની હતી જ્યારે રાતના અગિયાર વાગ્યે આખું ગામ પોઢી ગયું હતું ત્યારે તસ્કર હાથફેરો કરવાના ઈરાદા સાથે ઘુસ્યો હતો. સીસીટીવીમાં સ્પષ્ટરૂપે દેખાયું હતું કે, પહેલા તો ચોરે આજુબાજુ ખાખાખોળા કર્યા હતા, બાદમાં માતાજીની દાનપેટી તોડી તેમાંથી માલ લઈ રફુચક્કર થઈ ગયો હતો. સવારમાં મંદિરના પુજારીને ચોરી થઈ હોવાની જાણ થતા તેમણે આ અંગે પોલીસને જાણ કરી હતી.

સૌરાષ્ટ્રમાં અને ખાસ તો ગીર સોમનાથમાં શ્રદ્ધાળુઓના આસ્થાના પ્રતીક સમા એવા માતાજીના મંદિરના તાળા તોડી ચોરે કળા કરી હોવાથી લોકો રોષે ભરાયા છે. લોકોની એક જ માગ છે કે આ તસ્કરને તાત્કાલિક પકડી પાડવામાં આવે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments