Homeગુર્જર નગરીસુરેન્દ્રનગર TO જૂનાગઢ: પીધેલા કન્ડક્ટરે પૈસા ઉઘરાવી લીધા પણ ટિકિટ ન આપતા...

સુરેન્દ્રનગર TO જૂનાગઢ: પીધેલા કન્ડક્ટરે પૈસા ઉઘરાવી લીધા પણ ટિકિટ ન આપતા મુસાફરો બે કલાક રઝળ્યા

Team Chabuk-Gujarat Desk: સર્વિસ પર અને એમાં પણ જો ડ્રાઈવર કે કન્ડક્ટર તરીકે સરકારી બસમાં સેવા આપતા હો તો નશાથી બિલકુલ દૂર રહેવું જોઈએ. પણ તેનાથી વિપરિત દિયોદર-જૂનાગઢ રૂટની બસમાં તો કન્ડક્ટર જ પીધેલા હતા. આ પીધેલ કન્ડક્ટરે તમામ મુસાફરો પાસેથી રૂપિયા તો ઉઘરાવ્યા હતા પણ કોઈને ટિકિટ નહોતી આપી.

ટિકિટ ન આપતા બસમાં ઉહાપોહ મચી ગયો હતો અને બસને બે કલાક સુધી મેક્સન પાસે અટકાવી દેવામાં આવી હતી. આ ઘટનામાં બંને તરફથી ભોગ તો મુસાફરો જ બન્યા હતા. એક તો એમને બે કલાક સુધી અટકાવી બસની વ્યવસ્થા ન કરી દેવામાં આવી, બીજી બાજુ પીધેલ કન્ડક્ટરે ટિકિટ ન આપી.

સોમવારનો સમય હતો. બસ પોતાના સમય અનુસાર સુરેન્દ્રનગર એસટી ડેપો ખાતે આવી પહોંચી હતી અને ત્યાંથી જૂનાગઢ જવા માટે રવાના થઈ હતી. અડચણ ત્યાં ઊભી થઈ કે પીધેલી હાલતમાં રહેલા કન્ડક્ટરે મુસાફરો પાસેથી ટિકિટના પૈસા તો ઉઘરાવી લીધા પણ એમને ટિકિટ ન આપતા હોબાળો થયો હતો.

વિવાદ વધતા ડ્રાઈવરે બસને મેક્સન ફેક્ટરીની પાસે અટકાવી દીધી હતી. જ્યાં મુસાફરોએ પોતાની વ્યથા ડ્રાઈવરની સમક્ષ ઠાલવી હતી કે પૈસા લઈ લેવામાં આવ્યા છે પણ ટિકિટ આપવામાં નથી આવી. વિવાદ વકરતા સુરેન્દ્રનગર એસટી ડેપોના જવાબદાર અધિકારીઓ દોડી આવ્યા હતા, પણ મુસાફરોને તો બે કલાક રસ્તે જ રઝળવું પડ્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments