શૈલેષ નાઘેરા: ગીર સોમનાથના વેરાવળમાં મેરેથોન દોડ યોજવા અંગે ખુલાસો થયો છે કે, પોલીસની મંજૂરી ન હોવા છતાં દોડનું આયોજન થયું હતું. આ મુદ્દે એએસપી ઓમપ્રકાશ જાટએ જણાવ્યું કે, મેરેથોનનું આયોજન કરનારા ભારત વિકાસ પરિષદ સંસ્થાએ મંજૂરી માંગી હતી પરંતુ પોલીસે મંજૂરી આપી ન હતી. હાલ આ મામલે એફઆઈઆર નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રવિવારે સવારે વેરાવળ ચોપાટી ખાતે 6થી 10 વાગ્યા સુધી મેરેથોન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ત્રણ કેટેગરીમાં કુલ 1800 સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને ખુદ સાંસદ રાજેશ ચુડાસમાએ આ દોડને લીલીઝંડી આપી હતી. એટલું જ નહીં જાહેરમાં કોઈ પાર્ટી હોય તેમ આયોજકો સહિત સ્પર્ધકોએ ડી.જેના તાલે ડાન્સ પણ કર્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ-પ્રમુખ માનસિંગ પરમાર, નગરપાલિકા પ્રમુખ પીયૂષ ફોફડી સહિતના રાજકીય પદાધિકારીઓ ઉપસ્થિત હતા.
વેરાવળ: આયોજકોને પોલીસે નહતી આપી મંજૂરી#veraval #marathon pic.twitter.com/mGO2KKPRLG
— thechabuk (@thechabuk) January 9, 2022
તો ઉડીને આંખે વળગે તેવી એક વાત એ પણ હતી કે આ કોરોનાને આમંત્રણ આપવાનો કાર્યક્રમ ચોપાટી પર આવેલા જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસવડા, એએસપી અને ડીડીઓના સરકારી બાંગ્લાઓની સામે જ થઈ રહ્યો હતો. જો કે, અધિકારીઓએ ત્યારે જ આયોજકો સામે કાર્યવાહી કેમ ન કરી તે મોટો સવાલ છે.
વેરાવળ: મેરેથોન દોડના કાર્યક્રમમાં ડી.જે પાર્ટી ?#Veraval #marathon pic.twitter.com/IA97aSaowI
— thechabuk (@thechabuk) January 9, 2022
રાજ્યકક્ષાના ટ્રાન્સપોર્ટ અને ટૂરિઝમમંત્રી અરવિંદ રૈયાણીએ આ રેલી યોજાતાં પહેલાં સમીક્ષા કરી હતી. ત્યારે મીડિયાએ મોટી સંખ્યામાં સ્થાનિકો ભેગા થાય તો શું તકેદારી રાખવી એ અંગે પૂછતાં જવાબદાર મંત્રીએ જવાબદારીપૂર્વક જણાવ્યું હતું કે ‘મારા ધ્યાન પર છે, હું જોઈ લઉં છું’. જો કે, તેમણે દોડ અંગે શું ધ્યાનમાં લીધું તે સવાલ છે.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ