શૈલેષ નાઘેરા: ગીર સોમનાથના વેરાવળમાં મેરેથોન દોડ યોજવા અંગે ખુલાસો થયો છે કે, પોલીસની મંજૂરી ન હોવા છતાં દોડનું આયોજન થયું હતું. આ મુદ્દે એએસપી ઓમપ્રકાશ જાટએ જણાવ્યું કે, મેરેથોનનું આયોજન કરનારા ભારત વિકાસ પરિષદ સંસ્થાએ મંજૂરી માંગી હતી પરંતુ પોલીસે મંજૂરી આપી ન હતી. હાલ આ મામલે એફઆઈઆર નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રવિવારે સવારે વેરાવળ ચોપાટી ખાતે 6થી 10 વાગ્યા સુધી મેરેથોન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ત્રણ કેટેગરીમાં કુલ 1800 સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને ખુદ સાંસદ રાજેશ ચુડાસમાએ આ દોડને લીલીઝંડી આપી હતી. એટલું જ નહીં જાહેરમાં કોઈ પાર્ટી હોય તેમ આયોજકો સહિત સ્પર્ધકોએ ડી.જેના તાલે ડાન્સ પણ કર્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ-પ્રમુખ માનસિંગ પરમાર, નગરપાલિકા પ્રમુખ પીયૂષ ફોફડી સહિતના રાજકીય પદાધિકારીઓ ઉપસ્થિત હતા.
વેરાવળ: આયોજકોને પોલીસે નહતી આપી મંજૂરી#veraval #marathon pic.twitter.com/mGO2KKPRLG
— thechabuk (@thechabuk) January 9, 2022
તો ઉડીને આંખે વળગે તેવી એક વાત એ પણ હતી કે આ કોરોનાને આમંત્રણ આપવાનો કાર્યક્રમ ચોપાટી પર આવેલા જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસવડા, એએસપી અને ડીડીઓના સરકારી બાંગ્લાઓની સામે જ થઈ રહ્યો હતો. જો કે, અધિકારીઓએ ત્યારે જ આયોજકો સામે કાર્યવાહી કેમ ન કરી તે મોટો સવાલ છે.
વેરાવળ: મેરેથોન દોડના કાર્યક્રમમાં ડી.જે પાર્ટી ?#Veraval #marathon pic.twitter.com/IA97aSaowI
— thechabuk (@thechabuk) January 9, 2022
રાજ્યકક્ષાના ટ્રાન્સપોર્ટ અને ટૂરિઝમમંત્રી અરવિંદ રૈયાણીએ આ રેલી યોજાતાં પહેલાં સમીક્ષા કરી હતી. ત્યારે મીડિયાએ મોટી સંખ્યામાં સ્થાનિકો ભેગા થાય તો શું તકેદારી રાખવી એ અંગે પૂછતાં જવાબદાર મંત્રીએ જવાબદારીપૂર્વક જણાવ્યું હતું કે ‘મારા ધ્યાન પર છે, હું જોઈ લઉં છું’. જો કે, તેમણે દોડ અંગે શું ધ્યાનમાં લીધું તે સવાલ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત