Homeગુર્જર નગરીજૂનાગઢમાં મુચકુંદ ગુફા ખાતે 1008 મહામંડલેશ્વર મહેંદ્રગીરીબાપુના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી,21થી વધુ...

જૂનાગઢમાં મુચકુંદ ગુફા ખાતે 1008 મહામંડલેશ્વર મહેંદ્રગીરીબાપુના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી,21થી વધુ સન્યાસિયોએ લીધી દીક્ષા

Team Chabuk-Gujarat Desk: હિન્દુ સંસ્કૃતિમાં દર વર્ષે અષાઢ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. આજે મુચકુંદ ગુફા ખાતે 1008 મહામંડલેશ્વર મહેન્દ્રગીરીબાપુના સાનિધ્યમાં સંસારમાં રહી પરિવાર સાથે સંસારનું સુખ ભોગવતા 21 થી વધુ લોકોએ સંસારનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી હતી. સનાતન ધર્મ અને હિન્દુ સંપ્રદાયની રક્ષા માટેના ધ્યેયને પોતાનું જીવન લક્ષ્ય માન્યું હતું.

તમામ લોકોને દીક્ષા જુના અખાડાના મહામંડલેશ્વર અને મુચકુંદ ગુફાના મહંત મહેન્દ્રાનંદગીરી મહારાજના માર્ગદર્શન હેઠળ 21 જેટલા લોકોએ સાંસારિક જીવનનો ત્યાગ કરી સંન્યાસનો પથ અપનાવ્યો હતો. જે લોકોને દીક્ષા આપવામાં આવી હતી. તે લોકોનું મૂળદાન કરી અને તેનું પિંડદાન કરાવવામાં આવ્યું હતું. પિંડદાન કરતાની સાથે જ તેઓનો નવો જન્મ થયો હોવાનું જણાવવામાં આવ્યું હતું અને તેઓની નામકરણ વિધિ પણ કરાવવામાં આવી હતી આ તમામ સંસારીઓ એ પોતાનું મૂળ નામ અને પોતાનો પરિવારનો ત્યાગ કર્યો હતો.

guru prunima

આજે ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે મહામંડલેશ્વર મહેન્દ્રગીરી બાપુએ જણાવ્યું હતું કે આજે દામોદર ઘાટ પાસે આવેલ મુચકુંદ ગુફા ખાતે 21 જેટલા સંસારી લોકોએ સંસાર છોડી સન્યાસી યાત્રા અને નવા જીવનની શરૂઆત કરી છે. સનાતન ધર્મની સેવામાં પોતાનું જીવન અર્પણ કર્યું છે. અત્યાર સુધીમાં અહી મારા સાનિધ્યમાં 500 થી વધુ લોકોએ દીક્ષા ગ્રહણ કરી સનાતનની સેવામાં લાગેલા છે.

mahendragiribapu

ગુરુ મહિમાની વાત કરતા 1008 મહામંડલેશ્વર મહેન્દ્રગીરી બાપુએ વધુમાં જણાવ્યું હતું કે ગુરુ મતલબ જ થાય છે અંધકારને દૂર કરનાર. જે અજ્ઞાનતાના અંધકારને દૂર કરી અને જ્ઞાનનો પ્રકાશ જીવનમાં ભરી દે એ ગુરુ છે. આપણા જીવનમાં જ્યારે પ્રાર્થના કરવામાં આવે ત્યારે ત્રણ વ્યક્તિનું ખૂબ જ મહત્વ રહેલું છે. જેમાં માત પિતા અને ગુરુ.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments