Homeગુર્જર નગરીરક્ષક જ ભક્ષક નીકળ્યોઃ ગાંધીનગરના રૂપાલના વરદાયિની માતાજીના મંદિરમાંથી જીઆરડી જવાને ચોરી...

રક્ષક જ ભક્ષક નીકળ્યોઃ ગાંધીનગરના રૂપાલના વરદાયિની માતાજીના મંદિરમાંથી જીઆરડી જવાને ચોરી કરી

Team Chabuk-Gujarat Desk: જો વાડ જ ચીભડાં ગળે તો શું કરવું ? આવો જ એક કિસ્સો ગુજરાતના ગાંધીનગરના રૂપાલમાં બન્યો છે. રક્ષકે જ ભક્ષક બનીને મંદિરની દાનપેટીમાંથી ચોરી કરી છે. ગાંધાનગરના રૂપાલના વરદાયિની માતાજીના મંદિરમાં સતત ત્રણ દિવસ ચોરી થઈ હતી. મંદિરમાં સુરક્ષા માટે પાંચ કર્મચારીઓ તહેનાત હતા છતાં ચોરીનો બનાવ બન્યો. મંદિરમાં આવેલી દાનપેટીમાં સળિયો નાખીનો નોટો બહાર કાઢવામાં આવી હતી. તપાસ કરતાં સામે આવ્યું કે મંદિર પરિસરમાં પોઈન્ટ આપેલા જીઆરડી જવાને જ ચોરી કરી હતી. આર્થિક સ્થિતિ કથળતા તેણે મંદિરમાંથી ચોરી કરવાનો વારો આવ્યો હતો. આખરે આ જીઆરડી જવાનની ધરપકડ કરી તેના 2 દિવસના રિમાન્ડ મેળવાયા છે.

રૂપાલ ગામના વરદાયિની માતાજીના મંદિર પરિસરની ગુપ્તદાન પેટીમાં 10 હજાર રૂપિયાની ચોરી થઈ હતી. દાનપેટીમા નોટોની સંખ્યા ઓછી જણાતા મંદિરના ટ્રસ્ટ્રીઓએ સીસીટીવી ચેક કરતા ત્રણ દિવસના સીસીટીવી ચેક કરાતા એક જ વ્યક્તિ દ્વારા ચોરી કરાઈ હોવાનુ સામે આવ્યું હતું. જેને લઈને મંદિર દ્વારા રખાયેલા ચોકીદારને તેનો ચહેરો બતાવ્યો હતો.

મંદિરના ટ્રસ્ટ્રી મંડળ દ્વારા 2 ચોકીદાર રાખવામાં આવ્યા હતા. તે ઉપરાંત 3 જીઆરડી જવાનનો પોઇન્ટ ગોઠવવામાં આવ્યો હતો, આમ કુલ 5 ચોકીદાર હોવા છતા ચોરી થઈ હતી. ત્યારે ચોકીદારે ચોરી કરતા શખ્સને ઓળખી લીધો હતો, જેમા ગ્રામ રક્ષક દળમાં 13 વર્ષથી ફરજ બજાવતો અને વરદાયિની માતાજીના મંદિરે 3 વર્ષથી પોઇન્ટ સંભાળતો અશોક ઉર્ફે બોમ્બે માણેકલાલ પટેલ (રહે, રૂપાલ) દ્વારા ચોરી કરાઈ હોવાનું સામે આવ્યું હતું.

પેથાપુર પોલીસે આ બાબતે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આર્થિક સ્થિતિ કથળી હોવાથી જીઆરડી જવાને આ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments