Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગર સહિત અનેક જિલ્લામાંથી બાઇકની ચોરી કરનારા ચોટીલાના બે શખ્સો અને તેને મદદ કરનારા એક શખ્સને સુરેન્દ્રનગર LCBએ ઝડપી લીધા છે અને તેમની પાસેથી 40 બાઈક પણ જપ્ત કર્યા છે જેની કિંમત આશરે 7 લાખ 60 હજાર રૂપિયા જેટલી થાય છે. સુરેન્દ્રનગર એલસીબી પોલીસે બાતમીના આધારે ચોટીલાના સિરાજ ઉર્ફે ચિન્ટુ મનુ કાપડિયા અને રાજુ મોહન ગીલાણીને ચોરીના બાઇક સાથે ઝડપી લીધા હતાં. આ બન્ને શખ્સોની વધુ પૂછપરછ કરતાં આ બન્નેએ કુલ 40 બાઇકની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
આરોપીએ ચોરી કરેલા બાઇક સાયલા તાલુકાના ધારાડુંગરી ગામના રામસિંગ જકશીભાઇ બોહકીયાને વેચાણ કરવા માટે આપ્યા છે અને તમામ બાઈક તેની વાડીમાં છુપાવ્યા હોવાની કબુલાત કરતા પોલીસે આરોપીની વાડીએ પહોંચી હતી અને વાડીમાંથી કુલ ૪૦ બાઇક જપ્ત કર્યા હતા. સાથે આરોપી રામસિંગને પણ ઝડપી લીધો હતો.

આરોપી સિરાજ અને રાજુની બાઇકચોરી કરવાની મોડસ ઓપરેન્ડી હતી કે જે જગ્યાએથી બાઇકચોરી કરવાની હોય તે જગ્યાની તેઆએ પહેલા રેકી કરી આવતા હતા અને બીજા દિવસે ચોટીલાથી એસટી અથવા તો ખાનગી બસમાં જઇ નક્કી કરેલી જગ્યાએથી માસ્ટર કી વડે બાઇક ચાલુ કરી ફરાર થઈ જતા. ત્યારબાદ આ ચોરી કરેલી બાઈકને ધારાડુંગરી ગામે આવેલી વાડીમાં મુકી આવતા હતા.
બાઈકની ચોરી કરવા માટે પણ તેઓ ખાસ જગ્યા નક્કી કરતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપ બાઇકની ચોરી કરવા માટે મોટા ભાગે હોસ્પિટલ , બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન કે પેટ્રોલપંપ જેવા પાર્કિંગના સ્થળો જ પસંદ કરતા હતાં.
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, ચોરીના બાઇક ધારાડુંગરી ગામનો રામસિંગ વેચતો હતો. તે ગ્રાહકોને ફસાવવા માટે બાઇક ફાઇનાન્સનાં હપ્તા ન ભરેલા હોય ખેંચેલા હોવાનું કહેતો અને અડધા પૈસા અત્યારે આપો અડધા આરસી બુક આપુ પછી આપજો તેમ કહી ગ્રાહકોને ફસાવતો. જો બાઈક વેચાય તો એક બાઈક દીઠ 2 હજારથી અઢી હજાર કમિશન લેતો હતો.ઉલ્લેખનીય છે કે, આરોપીએ ગ્રાહકોને RC બુક ન આપી શકતા મોટા ભાગના બાઇક વેચાયા ન હતા.

પોલીસના હાથે ઝડપાયેલા ત્રણેય શખ્સો ગુનાહીત ઇતિહાસ પણ ધરાવે છે. સિરાજ અગાઉ નકલીનોટ તેમજ વાહનચોરી તેમજ રાજુ અને રામસિંગ અગાઉ બાઇકચોરીના ગુનામાં પોલીસના હાથે ઝડપાઇ ચુક્યા છે.સૂત્રોનું માનીએ તો સિરાજ 10થી 12 વર્ષ પહેલા વિદેશમાં નોકરી કરતો હતો અને લગ્ન કરવા માટે ગુજરાતમાં આવ્યો હતો. ત્યારબાદ વાહનચોરીના રવાડે ચડી ગયો હતો. હાલ આ કેસમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસની વધુ તપાસમાં અન્ય ગુનાઓનો ફેદ પણ ઉકેલાઈ શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત