Homeગુર્જર નગરીત્રીજી લહેરના ભણકારા: સાડા છ મહિના પછી કોરોનાના કેસ 550ને પાર, 2ના...

ત્રીજી લહેરના ભણકારા: સાડા છ મહિના પછી કોરોનાના કેસ 550ને પાર, 2ના મોત

Team chabuk-Gujarat Desk: ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોના વાયરસના કેસ ફરી વધી રહ્યા છે. સાડા છ મહિનામાં પહેલીવાર કોરોનાના કેસ 550ને પાર પહોંચી ગયા છે. રાજ્યમાં એક દિવસમાં કોરોના વાયરસના કુલ 573 નવા કેસ નોંધાયા છે. જ્યારે 102 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ અમદાવાદની છે. અમદાવાદમાં એક દિવસમાં વધુ 269 નવા કેસ નોંધાયા છે. એક દિવસમાં વધુ 273 કેસના પગલે રાજ્યમાં એક્ટીવ કેસની સંખ્યા વધીને 2 હજાર 371 પર પહોંચી ગઈ છે, જેમાંથી 11 દર્દી વેન્ટીલેટર પર છે. જ્યારે 2 હજાર 360 દર્દીની હાલત સ્થિર છે.

અમદાવાદ ઉપરાંત સુરત અને વડોદરામાં પણ કોરોના કેસ સતત વધી રહ્યા છે. સુરતમાં એક દિવસમાં કુલ 74 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં નવા 41 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટ ગ્રામ્યમાં 18 અને રાજકોટ શહેરમાં 10 કેસ, ગાંધીનગરમાં 16, કચ્છમાં 16, વલસાડમાં 15, આણંદમાં 14 તેમજ ભાવનગરમાં નવા 10 કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં રાજકોટ અને અરવલ્લીમાં 1-1 દર્દીનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. રાજ્યમાં આજે ઓમિક્રોનના એક પણ કેસ નોંધાયા નથી.  અત્યાર સુધીમાં રાજ્યમાં ઓમિક્રોનના કુલ 97 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ 33 કેસ અમદાવાદમાં નોંધાયા છે. ઓમિક્રોનના કુલ 44 દર્દી સાજા થયા છે.

whatsapp group join link

તો રાજ્ય સરકાર રસીકરણ પર પણ વધુ ભાર આપી રહી છે. એક દિવસમાં રાજ્યમાં કુલ 2 લાક 32 હજાર, 392 લોકોને રસી આપવામાં આવી છે. રાજ્યમાં કોરોનાના કેસ વધતાં નિષ્ણાતોએ સાવધાન રહેવાની સલાહ આપી છે. કોરોનાની ત્રીજી લહેરની શક્યતાના પગલે નિષ્ણાતોએ માસ્કનો ફરજિયાત ઉપયોગ, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. સાથે જ ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવા પણ અપીલ કરી છે.

તાજેતાજો ઘાણવો



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments