Team Chabuk-Gujarat Desk: અમદાવાદના બાવળાની 108ની ટીમે પ્રસૂતાને રસ્તામાં જ ડિલિવરી કરાવી માતા અને નવજાતનો જીવ બચાવી લીધો. આરોપ છે કે, તાલુકાનાં છબાસર ગામની મંજુબેન કમલેશભાઇ સાધુને બપોરે પ્રસૂતાની પીડા ઉપડતાં બાવળાની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતાં જો કે, સરકારી હોસ્પિટલ દ્વારા જરૂરી સારવાર નહી અપાતા તેને બે કલાક બેસાડી રાખીને અમદાવાદ લઈ જવા માટે કહેવાયું હતું.
સરકારી ડોક્ટરે 108ની ઈમરજન્સી સેવાને જાણ કરતાં બાવળાની 108 તરત જ આવી ગઈ હતી અને તરત પ્રસૂતાને લઈને અમદાવાદ જવા રવાના થયા હતાં.અમદાવાદ જતા ચાંગોદર નજીક આવેલી હોટલ પાસે પ્રસૂતાને વધુ પ્રસવ પીડા થવા લાગી હતી. જેથી ગર્ભવતીને રસ્તામાં જ પ્રસૂતિ કરાવવાની ફરજ પડી હતી.
પ્રસૂતાને વધુ પ્રસવ પીડા થતાં 108ની ટીમે તાત્કાલિક રસ્તામાં જ પ્રસૂતી કરાવવાનો નિર્ણય લીધો હતો. અને એમ્બ્યુુલન્સ રોકી દીધી હતી. પ્રસૂતાએ રસ્તામાં બાળકીને જન્મ આપ્યો હતો. પ્રસૂતિ બાદ માતા અને પુત્રીને 108 માં જ બાવળા સરકારી હોસ્પિટલમાં પરત લાવવામાં આવ્યા હતાં. હાલ માતા અને પુત્રીની હાલત તંદુરસ્ત છે.
આરોપ છે કે, બાવળા સામૂહિક આરોગ્ય કેન્દ્રની આરોગ્ય સેવા કથળી રહી છે.આ સરકારી હોસ્પિટલમાં દરરોજ બાવળા શહેર અને તાલુકામાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે. ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જવું પોસાય તેમ ન હોવાથી તેઓ સરકારી હોસ્પિટલનો જ સહારો લે છે. જો કે, બાવળા હોસ્પિટલમાં ગાયનેકની જગ્યા જ ખાલી પડી છે. દાવો છે કે, ક્યારેક ડૉક્ટર હોય છે પરંતુ ડૉક્ટર ન હોય ત્યારે દર્દીઓ ખૂબ હેરાન થાય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
