Homeગુર્જર નગરીઅમદાવાદનો કેન્સર સર્જન કિરણ કોઠારી તેની પત્ની અને સાળી વિવાદમાં, કેન્સર સર્જન...

અમદાવાદનો કેન્સર સર્જન કિરણ કોઠારી તેની પત્ની અને સાળી વિવાદમાં, કેન્સર સર્જન ડૉ.કિરણે ન શોભે તેવું કામ કર્યું

Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં ડૉક્ટર દંપતી વિરુદ્ધ છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. આરોપ છે કે, દંપતીએ એક ખાનગી કંપનીના ડિરેક્ટરને ત્રણ કરોડ રૂપિયાનો બંગલો વેચ્યો. જો કે, બંગલાની જમીન કપાતમાં હોવાની જાણ છતાં આરોપીઓ 2 કરોડ 98 લાખ 74 હજાર રૂપિયામાં બંગલો પધરાવી દીધો. એટલું જ નહીં જ્યારે જમીન કપાતમાં હોવાની જાણ ફરિયાદીને થયા બાદ ફરિયાદીએ આ અંગે વાત કરી તો ઉલટા ચોર કોટવાલ કો ડાંટે જેવી સ્થિતી સર્જાઈ. એટલે કે, ડૉક્ટરે ફરિયાદી સાથે જ દાદાગીરી કરી અને ટપોરીના શબ્દોમાં કહ્યું કે, થાય તે કરી લો !

shreeji dhosa

ઘટના અમદાવાદના મણીનગર વિસ્તારની છે. ક્રિએશન પ્રાઈવેટ લિમિટેડ કંપનીના મહિલા ડિરેક્ટર અને અમરાઈવાડી ખાતે રહેતા મંજુલાબેન દક્ષેશભાઈ ગોહિલે કેન્સર સર્જન કિરણ કોઠારી અને કિરણ કોઠારીની પત્ની સંધ્યા કોઠારી અને સાળી સંગીતા ઠાકર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આરોપી ડૉ.કિરણ કોઠારી

ફરિયાદીનો આરોપ છે કે, કેન્સર સર્જન કિરણ કોઠારીએ તેમને જણાવ્યું હતું કે, તેમની પત્ની અને સાળીને અમર સોસાયટીમાં વારસાઈમાં બંગલો મળ્યો છે જે બંગલો વેચવાનો છે. ફરિયાદીએ બંગલામાં રસ પડતા આરોપી સાથે 2 કરોડ 98 લાખ 74 હજાર રૂપિયામાં બંગલાનો સોદો કર્યો હતો. દસ્તાવેજી તમામ પ્રક્રિયા પૂર્ણ કરી ફરિયાદીએ બંગલાનું પઝેશન પણ મેળવી લીધું હતું. જો કે, બંગલોના કામ ખૂબ જૂનું હોવાથી ગોહિલ પરિવારે નવેસરથી બંગલો બનાવવાનું નક્કી કર્યું હતું.

આરોપી સંધ્યા કોઠારી

નવસેરથી કામગીરી કરવાની હોવાથી ફરિયાદીએ સિવિલ એન્જિનિયરનો સંપર્ક કર્યો હતો. જ્યારે સિવિલ એન્જિનિયરે ફરિયાદીને કહ્યું કે, કોર્પોરેશનમાં બંગલાની 80 વાર જગ્યા કપાતમાં છે. આ સાંભળીને ફરિયાદીને આંચકો લાગ્યો હતો અને તાત્કાલિક કેન્સર સર્જન કિરણ કોઠારીનો સંપર્ક કર્યો હતો. જો કે, કેન્સર સર્જન લાજવાના બદલે ગાંજ્યા હતા અને એક ડૉક્ટરને ન શોભે તેવી ભાષામાં ફરિયાદી સાથે વાત કરી હતી.

આરોપી સંગીતા ઠાકર

ફરિયાદીએ આ ઘટના બાદ એક આરટીઆઈ કરી હતી. જેમાં તેમને જાણવા મળ્યુ હતું કે, આ બંગલા મુદ્દે તો કોર્ટ મેટર થઈ ચુકી છે. જે વાત બંગલો વેચતી વખતે કેન્સર સર્જન કિરણ કોઠારી તેમની પત્ની અને સાળીએ છુપાવી આયોજનબદ્ધ બંગલો પધરાવી દેવાનું કામ કર્યું હતું.

આ સમગ્ર મુદ્દે ફરિયાદીએ મણીનગર પોલીસનો સંપર્ક કર્યો હતો અને આધાર પુરાવા રજૂ કરી ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ કલમ 406, 420, 467, 468, 506(1), 120 (B) અને 471 મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

shreeji dhosa
whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments