Homeતાપણુંઅરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને તોડફોડ અને હુમલો, ભાજપના નેતાઓ અને કાર્યકરો પર...

અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને તોડફોડ અને હુમલો, ભાજપના નેતાઓ અને કાર્યકરો પર આરોપ

Team Chabuk-Political Desk: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને તોડફોડ અને હુમલો કરવામાં આવ્યો છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી છે. મનીષ સિસોદિયાએ કહ્યું કે અસામાજિક તત્વો મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલો કરીને સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી બેરિયર પર તોડી નાખ્યા છે. ગેટ પર લાગેલા બૂમ બેરિયર પણ તોડી નાખવામાં આવ્યા છે.

મનીષ સિસોદિયાએ આરોપ લગાવ્યો કે, ભાજપના ગુંડાઓએ અરવિંદ કેજરીવાલના ઘરે તોડફોડ કરી છે. તેમણે કહ્યું કે, ભાજપની પોલીસ તેઓને રોકવાની જગ્યાએ દરવાજા સુધી લઈને આવી.

પોલીસના જણાવ્યા પ્રમાણે ભાજપ યુવા મોર્ચાના લગભગ 150-200 કાર્યકર્તાઓ સવારે 11-30 કલાકે મુખ્યમંત્રી નિવાસ સ્થાનની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ પ્રદર્શન અરવિંદ કેજરીવાલના ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને લઈને વિધાનસભામાં આપવામાં આવેલા નિવેદનના વિરુદ્ધમાં હતું. લગભગ 1 વાગ્યાની આસપાસ કેટલાક વિરોધ કરી રહેલા લોકો બેરિકેડ તોડીને મુખ્યમંત્રી નિવલાસ સ્થાન સુધી પહોંચી ગયા. તેઓએ દરવાજા પર ભગવો કલર ફેંક્યો અને સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા. પોલીસે તુરંત જ પહોંચીને 70 લોકોને ઝડપી લીધા છે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

shreeji dhosa

આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ભાજપના નેતાઓ અને કાર્યકરોએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર ઉપર હુમલો કરીને તોડફોડ કરી છે. ભાજપનું કહેવું છે કે, અરવિંદ કેજરીવાલે કશ્મીરી પંડિતોના નરસંહારની મજાક ઉડાવી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments