Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં રોજ 9 બાળક ગુમ થાય છે, 3 વર્ષમાં 10 હજાર બાળક ગુમ થયાં, એક વર્ષમાં સૌથી વધુ સુરતમાં 629 બાળક ગુમ થયાં છે. રાજ્યમાં છેલ્લાં ત્રણ વર્ષમાં 10 હજાર 92 બાળકો ગુમ થયાં હતાં, જે પૈકી 9085 બાળક પરત મળી આવ્યાં હતાં. હજી 1007 બાળકનો આજદિન સુધી કોઈ જ પત્તો નથી. ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે ગુમ થયેલાં બાળકોની આ માહિતી આપી હતી. કોંગ્રેસના ધારાસભ્યોના સવાલના લેખિતમાં વર્ષ 2019થી 2021 સુધીના આ આંકડા રાજ્ય સરકારે આપ્યા છે. સરકારનું કહેવું છે કે બાળકોને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરવામાં આવે છે.
વર્ષ 2021માં સુરત શહેરમાં 629, અમદાવાદ શહેરમાં 338 અને ત્યાર બાદ ગાંધીનગરમાં 142 બાળક ગુમ થયાં હતાં. આ જ અરસામાં સુરતમાંથી 506, અમદાવાદ શહેરમાં 293 અને ગાંધીનગરમાં 117 બાળક પરત મળ્યાં હતાં. વડોદરા શહેરમાં 104, મહેસાણા જિલ્લામાં 123, બનાસકાંઠામાં 104, ખેડા જિલ્લામાં 121, દાહોદ જિલ્લામાં 132, ભરૂચ જિલ્લામાં 131 બાળકો ગુમ થયાં હતાં.

સરકારનું કહેવું છે કે બાળકોને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરવામાં આવે છે. ચિલ્ડ્ર્ન હોમમાં નિયમિત તપાસ કરાય છે. મિસિંગ સેલ અને સીઆઈડી ક્રાઈમ દ્વારા પણ ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે. બાળકોને શોધી કાઢવા માટે અવારનવાર ઉપરી અધિકારી દ્વારા આદેશો કરવામાં આવે છે.

વિધાનસભામાં ગૃહ વિભાગે માહિતી રજૂ કરી છે કે વર્ષ 2020માં ગુજરાતમાં કુલ મળીને 7673 મહિલા કોઇ ને કોઇ કારણોસર ગુમ થઇ હતી, જેમાંથી 6528 મહિલા પરત આવી હતી. રાજ્યમાંથી 1145 મહિલા ગાયબ છે. એક જ વર્ષમાં અમદાવાદમાં 1870 મહિલા ગુમ થઇ હતી, જેમાંથી 974 મહિલાનો પરત મળી આવી હતી. તો સુરતમાં 12166 મહિલા ગુમ થઇ, જેમાંથી 988ની કોઈ ભાળ મળી નથી. વડોદરામાં 327 મહિલા ગુમ થઇ, જેમાંથી 291 મહિલા મળી આવી હતી. મહેસાણામાં 296 મહિલાઓ ગુમ થઇ તે પૈકી 272 મહિલાઓનો શોધવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત