Team Chabuk-Gujarat Desk: પોતાને અમરેલીનો બાપ ગણાવનારા છત્રપાલને પોલીસે અમરેલીનું મીંદડું બનાવી દીધું છે. આજે અમરેલી પોલીસે છત્રપાલને સાથે રાખીને રિકન્ટ્રક્શન કરાવ્યું હતું. છત્રપાલે જે પેટ્રોલપંપના માલિક પાસેથી ખંડણી માગી હતી તેની રેકી પણ કરી હતી. જેથી પોલીસે છત્રપાલને સાથે રાખીને ઘટનાનું પૂનરાવર્તન કર્યું હતું.
શું છે સમગ્ર મામલો ?
થોડા દિવસ પહેલાં એક ઓડિયો વાયરલ થયો હતો. જેમાં છત્રપાલ વાળા નામના શખ્સે ગુરૂદત્ત પેટ્રોલપંપના માલિકને ધમકી આપી 10 લાખ રૂપિયાની ખંડણી માગી હતી. એટલું જ નહીં ફોન પર તે અમરેલીના એસ.પી નિર્લિપ્ત રાયને પણ ખુલ્લી પડકાર ફેંકી રહ્યો હતો. સાથે જ સાંસદનો પણ ઉલ્લેખ કરી રહ્યો હતો.
ઓડિયમાં છત્રપાલે પેટ્રોલપંપના માલિકને પેટ્રોલપંપ પર ફાયરિંગ કરાવાની પણ ધમકી આપી હતી. ઓડિયો વાયરલ થતાં અમરેલી પોલીસ દોડતી થઈ હતી અને ભૂગર્ભમાં ઉતરી ગયેલા છત્રપાલ વાળાની ધરપકડ કરી હતી.
છત્રપાલની ધરપકડ બાદ અમરેલી એસ.પીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, FIR નોંધાયાના 48 કલાકમાં છત્રપાલસિંહની ધરપકડ કરી લીધી છે.
અમરેલી ગુરુદત્ત પેટ્રોલપંપના માલિકને ફોન કરી પ્રોટેક્શન માટે રૂ.૧૦ લાખની ખંડણી માંગી, પરિવાર ઉપર ફાયરિંગ કરવાની ધમકી આપનાર છત્રપાલ ચંદ્રકિશોરભાઈ વાળાને ગોંડલથી મોવિયા તરફ જવાના રસ્તેથી એલ.સી.બી ટીમ દ્વારા પકડી પાડવામાં આવેલ @dgpgujarat @AddlCP_ABAD @CollectorAmr @ashishbhatiaips pic.twitter.com/EVhqaLuafb
— SP AMRELI (@SP_Amreli) June 12, 2021
ઓડિયોક્લીપ વાયરલ થયા બાદ સમગ્ર ગુજરાતમાં તેના પડઘાં પડ્યા હતા. અનેક લોકોએ સોશિયલ મીડિયા પર છત્રપાલની ધરપકડ કરવાની માગણી કરી અસામાજિક તત્વો વિરૂદ્ધ દાખલો બેસાડવા અમરેલી પોલીસને રજૂઆત પણ કરી હતી. બીજી તરફ ધમકી આપનારો શખ્સ કોણ છે તે જાણવાની પણ લોકોને ઉત્સુકતા હતી.
છત્રપાલને ઝડપી લીધા બાદ પોલીસ પ્રોટોકોલ સાથે તેનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. ફોન પર સિંહ બની રહેલો છત્રપાલ જ્યારે પોલીસના સકંજામાં હતો ત્યારે તેનો ડોન બનવાનો બધો જ નશો ઉતરી ગયો હતો અને પોલીસની સામે મીંદડું બની ગયો હતો.
અમરેલી પોલીસે પેટ્રોલપંપ માલિકને ફોન પર ધમકી આપનારા આરોપી છત્રપાલ વાળાનું સરઘસ કાઢ્યું.@GujaratPolice #amareli #gujarat #Crime pic.twitter.com/V0ekjSl7c1
— thechabuk (@thechabuk) June 13, 2021
હાલ પોલીસે છત્રપાલ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે, છત્રપાલે અગાઉ આવી રીતે ધાક ધમકી આપીને કોઈ પાસે ખંડણી લીધી છે કે કેમ. છત્રપાલની પૂછપરછમાં વધુ કેટલાક ગુનાઓનો ભેદ પણ ઉકેલાઈ શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત