Team Chabuk-Gujarat Desk: ગુજરાત બોર્ડના ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. કોરોના કાળમાં પરીક્ષા ન લેવાઈ હોવાથી રાજ્ય સરકારે માસ પ્રમોશન આપ્યું હતું. જેથી ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ આવ્યું છે. હાલ આ પરિણામ બોર્ડની વેબસાઈટ પર માત્ર શાળાઓ જ જોઈ શકે છે. શાળાઓ દ્વારા પરિણામની પ્રિન્ટ કોપી કાઢીને વિદ્યાર્થીઓને આપવામાં આવી રહી છે. સવારથી જ રાજ્યભરના શાળાઓ ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓ પરિણામ લેવા માટે પહોંચી રહ્યા છે.
ગ્રેડ મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા
| વિદ્યાર્થીઓની સંખ્યા | મેળવેલ ગ્રેડ |
| 691 | A1 |
| 9455 | A2 |
| 35,288 | B1 |
| 82,010 | B2 |
| 1,29,781 | C1 |
| 1,08,299 | C2 |
| 28,690 | D |
| 5885 | E1 |
| 28 | E2 |
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 2 લાખ 10 હજાર 375 વિદ્યાર્થીઓ અને 1 લાખ 89 હજાર 752 વિદ્યાર્થિનીઓ નોંધાઈ છે. માસ પ્રમોશનને કારણે કુલ 4 લાખ 127 રેગ્યુલર વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર થયું છે. હાલ વિદ્યાર્થીઓને શાળામાં સહી સિક્કા સાથે પરિણામ આપવામાં આવી રહ્યા છે. પરિણામની માત્ર અત્યારે પ્રિન્ટ કાઢીને અપાઈ રહી છે. પ્રિન્ટ કરેલ માર્કશીટ પર શાળાના સહી સિક્ક કર્યા બાદ જ માર્કશીટ આગળ પ્રવેશ માટે માન્ય ગણાશે. અત્યારે માત્ર કાચી માર્કશીટ આપવામાં આવી છે. પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા માર્કશીટ આપવામાં આવે તે બાદ વિદ્યાર્થીઓને ઓરિજનલ માર્કશીટ આપવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત