Team Chabuk- Gujarat Desk: અમદાવાદ શહેરમાં આંગડિયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ કરી લૂંટી લેવાના કેસમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લીધા છે. ચાર આરોપી પાસે લૂંટનો 74 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. લૂંટ કરેલ પાર્સલ બેગમાં જીપીએસ સિસ્ટમ હોવાથી આસાનથી આરોપી ઝડપાઈ ગયા છે. મહેસાણાના એક શખ્સે આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટ કરવા માટેની ટીપ આપી હોવાનો ખુલાસો થયો છે..
ચાર આરોપીઓએ આંગડિયા પેઢીના કર્મચારીઓ પર ફાયરિંગ કરી લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો. સમગ્ર ઘટનાની વાત કરીએ તો, ચાર આરોપી કિશન સિંગ મઝવી, ગોવિંદ ઉર્ફે સોનુ રાજાવત, અમિત ઉર્ફે હેપ્પી અને બલરામ ઉર્ફે બલવા રાજાવત ભેગા મળી આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં આરોપીઓ સીટીએમ બ્રિજ નીચેથી બે બાઇકની ચોરી કરી અને ચારથી પાંચ દિવસથી રેકી કરી રહ્યા હતા. જે બાદ ચોરીના બાઇક લઈ ગત સાંજના સમયે ઇન્કમટેક્ષ પાસે આંગડિયા પેઢીના કર્મચારીને આંતરી ફાયરિંગ કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ ભરેલી બેગ લૂંટી ફરાર થઈ ગયા હતા.
આ ઘટનામાં આંગળિયા પેઢીના કર્મચારીને પગના ભાગે એક ગોળી વાગી હતી. લૂંટ કર્યા બાદ આરોપીઓ શાહપુર પાસે ચોરીના બાઇક બિનવારસી મૂકી રિક્ષામાં સરદારનગર જતા રહ્યા હતા. જ્યાં એક મકાનમાં ધાબા પર લૂંટના મુદ્દામાલ સંતાડ્યો હતો. આરોપીઓ આ ઘરના ધાબે જ લૂંટનો ભાગ પાડી રહ્યા હતા ત્યારે જ ક્રાઇમ બ્રાંચ ત્રાટકી હતી અને આરોપીઓને મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી લીધા હતા.
પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે, મહેસાણાના રાજુ ઝાલા નામના વ્યક્તિએ આંગડિયા પેઢીમાં લૂંટ કરવાની ટીપ આપી હતી. જેમાં અમદાવાદના રતન પોળમાં આવેલ કે અશ્વિન આંગડિયા પેઢી, મહેન્દ્ર પ્રવીણ આંગડિયા પેઢી અને માધવ મગન આંગડિયા પેઢીના કર્મચારીઓ ડીસાથી અમદાવાદ બસ મારફતે કિંમતી સામાન પાર્સલ લઈને જતા હોવાની માહિતી આપી હતી. જેના આધારે ચારેય રીઢા આરોપીઓ અમદાવાદમાં લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો.
તો તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, પકડાયેલા ચારેય આરોપી જેલમાં અલગ અલગ ગુનામાં હતા તે સમયે મુલાકાત થઈ હતી. એટલું જ નહીં આરોપી કિશન સિંગ પેરોલ પર બહાર હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
