Homeગુર્જર નગરીદાહોદ: સામાજિક પ્રસંગમાં બકરાનું માંસ ખાધા બાદ 14ની તબિયત લથડી, 7 લોકોના...

દાહોદ: સામાજિક પ્રસંગમાં બકરાનું માંસ ખાધા બાદ 14ની તબિયત લથડી, 7 લોકોના શંકાસ્પદ મોત

Team Chabuk-Gujarat Desk: દાહોદના દેવગઢ બારિયા તાલુકાના ભુલવણમાં બકરાનું માંસ ખાધા બાદ 7 લોકોના શંકાસ્પદ મોત થયા છે. માંસ આરોગ્યા બાદ 14 લોકોની તબિયત અચાનક લથડી હતી. તમામ લોકોના મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા હતા અને તેઓ ચક્કર આવી રહ્યાની ફરિયાદ કરી રહ્યા હતા.

એકાએક જ એક સાથે 14 લોકોની તબિયત ખરાબ થતાં દોડધામ મચી ગઈ હતી. જેમાંથી અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે જ્યારે બાકીના લોકો સારવાર હેઠળ છે. ગામની સુખશાંતિ માટે કરાતી વિધિના અંતિમ દિવસે આ દુર્ઘટના બની હતી.

મળતી માહિતી મુજબ પ્રાથમિક તપાસમાં માંસ ખાધા પછી જ તેમની તબિયત લથડી હતી. જો કે, અન્ય કોઇ કારણોસર અન્ય કારણોસર ફૂડ પોઈઝનિંગ થયું છે કે કેમ તેની પણ તપાસ ચાલું છે. મૃતકોના વિસેરાના પરિક્ષણ બાદ મોતનું સાચુ કારણ સામે આવશે. ભલવાણ ગામે સામાજિક પ્રસંગે 150થી વધુ લોકોએ ભોજન આરોગ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, દેવગઢ બારિયા તાલુકાના ભુલવણ ગામે ગામની શાંતિ માટે દર પાંચ વર્ષે કરાતી જાતરની વિધિ ચાલી રહી હતી. રવિવારથી ગામના ટાંકી ફળિયામાં દેવપૂજનની વિધિ કરાઈ રહી હતી. સોમવારે વિધિનો અંતિમ દિવસ હોવાથી પરંપરા મુજબ અહીં છ બકરાની બલિ આપવામાં આવી હતી ત્યારબાદ તેનું માંસ ઘરે લઈ જવાયું હતું.

બનાવની જાણ થતાં જ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસની ટીમે ગામમાં પહોંચી ગઈ હતી. આ સમગ્ર મામલે એવી પણ આશંકા છે કે, ભોજનમાં કોઈએ જંતુનાશક દવા નાખી દીધી હોઈ શકે છે. તપાસ બાદ જ સમગ્ર મુદ્દે સાચુ કારણ બહાર આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments