Team Chabuk-Gujarat Desk: એન્જિનિયરિંગમાં એડમિશન મેળવવા માટે લેવાતી JEE મેઈન્સનું પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. JEEની પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં ગુજરાતના 4 વિદ્યાર્થીઓએ ટોપ-50માં સ્થાન મેળવ્યું છે. જેમાં અમદાવાદના બે વિદ્યાર્થીઓએ ઈન્ડિયામાં ટોપ-20માં સ્થાન મેળવ્યું છે.
અમદાવાદના કૌશલ વિજયવર્ગીયએ પાંચમો અને હર્ષિલ સુથારે 17મો રેન્ક મેળવ્યો છે. તો બીજી તરફ સુરતના નિશ્ચય અગ્રવાલે 100 પર્સેન્ટાઇલ સાથે ઓલ ઇન્ડિયામાં 36મો રેન્ક મેળવ્યો છે તથા સુરતના ધ્રુવ પાનસુરીયાએ 50મો રેન્ક મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઓલ ઇન્ડિયામાંથી અંદાજે 12 લાખ વિદ્યાર્થીઓએ JEE મેઇન્સની પરીક્ષા આપી હતી.

હજુ આગામી 4 જૂને JEE એડવાન્સની પરીક્ષા લેવામાં આવશે. ત્યારે બંને વિદ્યાર્થીઓના પરિવારના સભ્યો એન્જિનિયર છે જેથી ત્યાંથી જ બંનેને એન્જિનિયર બનાવાની પ્રેરણા મળી છે. બંને વિદ્યાર્થીઓએ હવે JEE એડવાન્સની તૈયારી કરી રહ્યા છે અને સારા માર્ક્સ મેળવીને IIT બોમ્બેમાં એડમિશન લેવા ઇચ્છે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
