Team Chabuk-Gujarat Desk: સોમનાથ મહાદેવના શરણે આવતા અને ધ્વજા ચડાવતા લોકોને હવે સીડી પર ચઢીને ધ્વજારોહણ નહીં કરવું પડે. ભક્તોને હવે સીડીનો ઉપયોગ નહીં કરવો પડે તેઓ ઓટોમેટિક સિસ્ટમથી ધ્વજારોહણ કરી શકશે. દેશના 12 જ્યોર્તિલિંગ પૈકીના પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરના શિખર પર ઓટોમેટિક ધ્વજારોહણ થઈ શકે તે પ્રકારની સિસ્ટમની ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલ દ્વારા ભેટ આપવામાં આવી છે. આ ઓટોમેટિક સિસ્ટમ થકી આજે સૌપ્રથમ ધ્વજારોહણ નરેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને સોમનાથ દાદાના આશીર્વાદ મેળવ્યા હતા.
સીડીનો ઉપયોગ નહીં કરવો પડે
નરેશ પટેલ દ્વારા સોમનાથ મંદિરને ધ્વજારોહણ માટે ઓટોમેટિક સિસ્ટમની ભેટ ધરતા હવેથી સીડીનો ઉપયોગ નહીં કરવો પડે અને ભક્તો નીચે ઉભા રહીને જ ધ્વજારોહણના દર્શન કરી શકશે. ઘણા રાજ્યમાં શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે આજે 26 જુલાઈના રોજ શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે. આ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન અને શિવ ભક્ત એવા નરેશભાઈ પટેલે સોમનાથ મંદિર ટ્રસ્ટને ધ્વજારોહણ માટેની ઓટોમેટિક સિસ્ટમ ભેટ ધરી છે.
નરેશ પટેલે દાદાના ચરણોમાં ટેકાવ્યું માથું
આજે આ ઓટોમેટિક સિસ્ટમ મારફતે પ્રથમ ધ્વજારોહણ નરેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. નરેશ પટેલે પરિવાર સાથે સોમનાથ દાદાના ચરણોમાં માથું ટેકવીને, ધ્વજાજીની પૂજન વિધિ કર્યા બાદ મંદિરના શિખર પર ધ્વજારોહણ કર્યું હતું.
સોમનાથ મંદિરે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે ધ્વજારોહણ કર્યું#श्रावण_मास #Somnath #khodaldham #NareshPatel pic.twitter.com/dp04WDfBxQ
— thechabuk (@thechabuk) July 26, 2021
150 ફૂટની ઉંચાઈ સુધી ધ્વજારોહણ કરી શકાય છે
મહત્વનું છે કે, સોમનાથ મંદિરે અલગ અલગ ભક્તો દ્વારા દરરોજ ધ્વજારોહણ કરવામાં આવતું હોય છે. અત્યાર સુધી સોમનાથ મંદિરે ધ્વજા ચડાવવા માટે સીડી મારફતે ઉપર જવું પડતું હતું. પરંતુ આ ઓટોમેટિક સિસ્ટમની સેવા શરૂ થવાથી ઉપર જવું નહીં પડે. નીચે ઉભા રહીને જ આ આધુનિક ઓટોમેટિક સિસ્ટમથી ધ્વજારોહણના દર્શન કરી શકાશે. આ ઓટોમેટિક સિસ્ટમ દ્વારા 150 ફૂટની ઉંચાઈ સુધી ધ્વજારોહણ કરી શકાય છે. આ પ્રકારની ઓટોમેટિક સિસ્ટમ ખોડલધામ મંદિર ખાતે પણ કાર્યરત છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત